SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/-/૩૫૬,૩૫૩ ૧૬૯ ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને સર્વમંગલરૂપ પ્રજ્ઞાવાળા છે. તથા અપ્રતિબદ્ધ વિહારી - પરીણહરહિત વિચરનારા હોવાથી અનિયતચારી છે. સંસાર સમુદ્રને તરનારા છે, બુદ્ધિ વડે રાજના હોવાથી કે પરીષહ-ઉપસર્ગોથી ક્ષોભિત ન થતા હોવાથી ધીર છે. પ્રતિ - અનંતતા કે નિત્યતાથી જાણે. અનંત-કેવલજ્ઞાનથી કે લોકના પદાર્થને પ્રકાશક હોવાથી જે ચારૂપ છે, માટે અનંતચક્ષુ છે જેમ સૂર્ય સર્વાધિક તપે છે. તેથી વિશેષ તપ કોઈનો નથી, તેમ ભગવંત જ્ઞાન વડે સર્વોત્તમ છે. વળી જાજવલ્યમાન અગ્નિ માફક પ્રકાશે છે તે અંધકારને દૂર કરે છે, તેમ ભગવંત પણ જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી યથાવસ્થિત પદાર્થને પ્રકાશે છે. • સૂઝ-૩૫૮,૩૫૯ આ જિનોનો ધર્મ અનુત્તર છે, આશુપજ્ઞ કાશ્યપ મુનિ તેના નેતા છે. જેમ સ્વર્ગમાં ઈન્દ્ર મહાપભાવશાળી અને હજારો દેવોમાં વિશિષ્ટ નેતા છે. તેઓ સમુદ્ર સમાન અક્ષય પ્રજ્ઞાવાન, મહોદધિ સમાન અનંતજાર, વિશુદ્ધ, અકષાયી, મુક્ત, દેવાધિપતિ શક સમાન ધુતિમાન છે. • વિવેચન-૩૫૮,૩૫૯ : ઋષભાદિ તીર્થકરો સંબંધી આ ધર્મથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ ન હોવાથી આ અનુત્તર ધર્મ છે. જે કાશ્યપગોત્રીય, કેવળજ્ઞાની, ઉત્પન્ન દિવ્યજ્ઞાનથી પ્રણેતા છે. • X - X • જેમ ઇન્દ્ર સ્વર્ગમાં હજારો દેવોનો મહાપભાવવાનું નાયક અને રૂ૫, બલ, વણિિદ વડે પ્રધાન છે, તે પ્રમાણે ભગવંત પણ બધાંથી વિશિષ્ટ પ્ર-નાયક અને મહાનુભાવ છે . વળી - જેના વડે જણાય તે પ્રજ્ઞા. આ ભગવંત તે પ્રજ્ઞા વડે - જાણવા યોગ્ય પદાર્થોમાં બુદ્ધિ ક્ષીણ થતી નથી - હણાતી નથી માટે અક્ષય છે. કેમકે તેમની બુદ્ધિ કેવળજ્ઞાન રૂપે છે, તે કાળમી સાદિ-અપર્યવસાના છે, દ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી પણ અનંત છે. તેમના ગુણો માટે સામ્ય દૃષ્ટાંતનો અભાવ છે. તેના એક દેશથી ‘સાગર' જેવા કહ્યા. જો કે સાગર પણ સામાન્ય હોવાથી વિશેષણ કહે છે. સ્વયંભૂરમણ માફક અનંતપાર છે. જેવો તે મહોદધિ વિસ્તીર્ણ, ગંભીર જળવાળો અને અક્ષોભ્ય છે, તેમ તે ભગવંતની પ્રજ્ઞા પણ વિશાળ, અનંતગુણયુક્ત અને અક્ષોભ્યા છે જેમ તે સમુદ્રમાં નિર્મળ જળ છે, તેમ ભગવંત પણ તેવા કર્મઠલેશના અભાવથી કલુષજ્ઞાની છે. તથા ભગવંત કષાયરહિત હોવાથી કષાયી છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનથી મુક્ત છે. કોઈક પ્રતમાં ભિક્ષુ એવો પાઠ છે. તેનો અર્થ છે - સંપૂર્ણ અંતરાયકર્મ ક્ષય થવાથી તેમને સર્વલોકમાં પૂજ્યપણું છે, તો પણ તે ભિક્ષામાત્રથી જીવન જીવે છે માટે તેઓ ભિક્ષ છે. પણ ક્ષીણ મહાવસાદિ લબ્ધિથી જીવતા નથી. શક માક ભગવંત દેવાધિપતિ-ધુતિમાન છે. • સૂત્ર-૩૬૦,૩૬૧ - જેમ મેર પર્વત સર્વ પાર્વતોમાં શ્રેષ્ઠ છે, સ્વર્ગવાસી માટે હર્ષદાતા છે. તેમ ભગવંત વીથિી પતિપૂર્ણ વીર્ય અને અનેક ગુણોથી શોભે છે. મેરુ પર્વત એક લાખ યોજન છે, તેના ત્રણ કંડક છે. પંડકવન પતાકા જેવું શોભે છે. પર્વત ૯૯ooo યોજન ઊંચો છે, જમીનમાં ૧ooo યોજન છે. વિવેચન-૩૬૦,૩૭૧ - તે ભગવંત વીર્ય બળથી અને ધૃતિ-સંઘયણથી અને વીાિરાયના સંપૂર્ણ ક્ષયથી પ્રતિપૂર્ણ વીર્યવાળા છે. જેમ જંબૂદ્વીપનો નાભિભૂત મેરુ સર્વે પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત છે. તેમ મહાવીર પ્રભુ પણ વીર્ય અને અન્યગુણોથી સર્વશ્રેષ્ઠ છે. તથા જેમ સ્વર્ગનિવાસી દેવો માટે હર્ષજનક છે, કેમકે તે પ્રશસ્ત વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-પ્રભાવાદિ ગુણોથી શોભે છે, તેમ ભગવંત પણ અનેકગણો વડે શોભે છે. અથવા જેમ દેવાલય અનેકગુણોથી શોભિત હોવાથી હર્ષદાયી છે તેમ ભગવંત પણ મેરુ માફક આનંદ આપનાર છે. વળી દેટાંતભૂત મેરુ પર્વતનું વર્ણન કરે છે - તે મેરુ એક લાખ યોજન ઉંચો છે, તેના ત્રણ કાંડ છે, જેમકે માટી-સુવર્ણ-વૈડૂચમચ. તેમાં ઉપર રહેલ પંડકવન પતાકા જેવું છે. મેરુ જમીનમાં ૧૦૦૦ યોજન, બહાર ૯૯,૦૦૦ યોજન છે. • સૂત્ર-૩૬૩,૩૬૩ - મેર ઉપર આકાશને સ્પશો, નીચે ભૂમિસ્થિત છે, સૂર્ય તેની પરિક્રમા કરે છે. તેમ હેમવણીય અને નંદનવનોથી યુક્ત છે, ત્યાં મહેન્દ્રો આનંદ પામે છે. પર્વત અનેક નામોથી ઓળખાય છે, કંચનવર્ણથી સુશોભીત છે. પર્વતોમાં શ્રેષ્ઠ છે, મેખલાથી વિષમ છે, તેનો ભૂભાગ મણિ આદિથી શોભે છે. • વિવેચન-૩૬૨,૩૬૩ : આકાશ પર્યન્ત તે વ્યાપીને રહેલો છે, ભૂમિને અવગાહીને સ્થિત છે. ઉtdધો-તી લોકને સ્પર્શીને રહ્યો છે, તેને સંયદિ જ્યોતિકો પ્રદક્ષિણા કરે છે. તે ખૂબ તપાવેલા સોના જેવો છે, ચાર નંદનવનોથી યુક્ત છે - તે આ રીતે - જમીનમાં ભદ્રશાલવન છે, ત્યાંથી ૫૦૦ યોજન ઉંચે નંદનવન, ત્યાંથી ૬૨,૫oo યોજન ઉંચે જતા સૌમનસવન, ત્યાંથી ૩૬,000 યોજન ઉંચે શિખરે પંડકવન છે. આ રીતે ચાર નંદનવનોથી યુક્ત વિચિત્ર ક્રીડા સ્થાનોવાળો છે. જ્યાં મહાઇન્દ્રો પણ સ્વર્ગેથી આવીને રમણીયતર ગુણોથી આનંદ અનુભવે છે. તે મેર નામક પર્વત મંદર, મેટ, સદર્શન, સરગિરિ વગેરે નામોથી મહા પ્રસિદ્ધિવાળો શોભે છે. તેનો કાંચન જેવો નિર્મળ કે શુદ્ધ વર્ણ છે. બધામાં શ્રેષ્ઠ હોવાથી તે પર્વત અનુત્તર છે. તેમજ મેખલા આદિ કે દાઢાઓથી વિષમ છે. અર્થાત્ સામાન્ય પ્રાણી માટે ચડવો કઠણ છે. પર્વતોમાં પ્રધાન છે. તથા મણિ અને ઔષધિઓ વડે દેદીપ્યમાન થઈ ચળકી રહ્યો છે. • સૂત્ર-૩૬૪,૩૬૫ : તે નગેન્દ્ર પૃeતી મળે સ્થિત છે. સૂર્યની માફક તેજયુક્ત જણાય છે. અનેકવણીય અનુપમ શોભાથી યુક્ત, મનોહર છે. સૂર્ય સમ પ્રકાશિત છે. જેમ સર્વે વાતોમાં સુદન પર્વતનો યશ શ્રેષ્ઠ કહેવાય છે. તેમ શ્રમણ
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy