SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧/૧/૧૦/૩૦ ૧૫ ક ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-૧૦ % 0 નવમો ઉદ્દેશો કહ્યો. ધે દશમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૯માં પિંડરગ્રહણવિધિ બતાવી. અહીં સાધારણાદિ પિંડ મેળવેલ વસતિમાં ગયેલ સાધુએ શું કરવું ? તે કહે છે • સૂત્ર-30 - કોઈ સાધુ એકલો બધો સાધુ માટે સાધારણ આહાર લાવેલ હોય અને તે સાધર્મિકને પુણ્યા વિના જેને-જેને ઇચ્છે તેને--તેને ઘણુ ઘણું આપે તે માયા સ્થાનને સ્પર્શે છે. તેણે એમ ન કરવું જોઈએ. તે આહાર લઇને સાધુ ત્યાં જઈને એમ કહે કે, હે આયુષ્યમાન શ્રમણો ! અહીં માસ પૂર્વ કે પશાવ પરિચિત છે. જેમકે . આચાર્ય ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણઘર કે ગણાવચ્છેદક છે. એઓને હું પયતિ-પયત આહાર આપું ? તેને એમ કહેતા સાંભળી સાધુને આચાયાદિ કહે, હે આયુષ્યમાન ! તમે તમારી ઇચ્છાનુસાર ચાપર્યાપ્ત આહાર આપો. એ પ્રમાણે તેમની આજ્ઞાનુસાર જેટલો દેવાની આજ્ઞા આપે તેટલે આહાર દેવો. જો તેઓ બધો આહાર લેવાની આજ્ઞા કરે તો બધો આહાર આપી દેવો. • વિવેચન : તે ભિક્ષુ ક્યારેક બધા સાધુ માટે સામાન્ય આહાર આપેલ હોય - ૪ - તે ગ્રહણ કરીને તે બધા સાઘર્મિકોને પૂછડ્યા વિના જેને જે રૂચે તેને તેનું પોતાની બુદ્ધિથી ઘણું ઘણું આપે, એ રીતે માયા કરે છે. માટે સાધુએ તેમ ન કરવું. અસાધારણ પિંડ મળતાં જ કરવાનું તે કહે છે તે સાધુ વેષમાત્રથી મેળવેલ પિંડ [આહાર] લઈને આચાર્ય પાસે જાય. જઈને એમ કહે કે, હે આયુષ્યમાન્ ! અહીં મારા પૂર્વ પરિચિત છે જેમની પાસે મેં દીક્ષા લીધી છે તેના સંબંધી અને પશ્ચાતુ પરિચિત-જેની પાસે શ્રત ભાણો તેના સંબંધી અજબ રહ્યા છે, તેમના નામ બતાવે છે - ૧-આચાર્ય-અનુયોગઘર, ૨-ઉપાધ્યાયઅધ્યાપક, 3-પ્રવર્તક-વૈયાવચ્ચ આદિમાં યથાયોગ સાધુને પ્રવતવિ, ૪-સ્થવિર-સંયમ આદિમાં સીદાતા સાધુઓને સ્થિર કરે, ૫-ગણિ-ગચ્છાધિપ, ૬-ગણઘર-આચાર્ય Nસમાન, ગુરુની આજ્ઞાથી સાઘુગણને લઈને જુદા વિયરે તે. ગણાવચ્છેદકગચ્છના નિવહિના ચિંતક, આ બધાંને ઉદ્દેશીને આ પ્રમાણે કહે-હું આપની આજ્ઞાથી આ બઘાંને શીઘ શીઘ આપે, આ પ્રમાણે સાઘની વિજ્ઞતિથી આયાદિ જેટલી માત્રામાં આજ્ઞા આપે તેટલી માત્રામાં આપે અને બધાની આજ્ઞા આપે તો બધો આહાર આપે. • સૂગ-૩૧ : તે ભિન્ન ભિક્ષામાં મનોજ્ઞ ભોજન ગ્રહણ કરીને તે આહારને તુચ્છ ભોજનથી ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહાર દેખાડીશ તો આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પોતે જ લઈ લેશે. આ ઉત્તમ ભોજનમાંથી મારે કોઈને કંઈ નથી આપવું. એમ માયા સ્થાનને સ્પર્શે છે, સાધુએ આવું ન કરવું જોઈએ. પરંતુ મુનિ તે આહાર લઈને આચાયદિ પાસે જાય, પણ ખુલ્લુ રાખી ૧૫૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હાથથી આહારને ઉંચા કરી ‘ છે આ છે' એમ કહીને બધો આહાર દેખાડે, કંઈ પણ ન છુપાવે. કોઈ સાધુ કંઈ ભોજન લાવીને (મામાં] સારું ખાઈ છે અને વિવણ તા વિસ આહાર અચાયદિને દેખાડે તો તે મારા સ્થાનને સ્પર્શે છે. સાધુએ તેવું ન કરવું જોઈએ. વિવેચન : ‘સુગમ’ છે •x• શું કરવું તે બતાવે છે - તે ભિક્ષુ તે આહાર લઈને આચાર્ય પાસે જાય, જઈને બધું યથાવસ્થિત દેખાડે, કંઈ પણ ન છપાવે. માયા સ્થાન પ્રતિષેધ કહે છે - સ ગૃદ્ધિથી ભટકતા તે ભિક્ષ કંઈ વણદિયુકત ભોજન મેળવે પછી સારું સારું ખાઈને અંતરાંતાદિકને ઉપાશ્રયમાં લાવે તે પણ માયા-કપટ છે. સાધુએ તેમ ન કરવું. • સૂ-૩૨ : તે સાધુ કે સાળી યાવતું જાણે કે શેરડીની ગાંઠનો મધ્ય ભાગ, શેરડીની ગડેરી-ટુકડપૂછડું-શાખા કે ડાળી, મગ આદિની ભુજેલ ફળી કે ઓળા એ બધાં તથા એવા પ્રકારના કોઈ પદાર્થ જેમાં ખાવા યોગ્ય થોડુ અને ફેંકી દેવા જેવું ઘણું હોય તો તે આપાસુક જાણી ન લે. સાધુ કે સાદdી યાવ4 જાણે કે આ દળદાર ફળમાં ઘણી ગુટલી છે અને ઘણાં કાંટાવાળી મત્સ્ય વનસ્પતિ જેમાં ખાવું થોડું અને નાંખી દેવાનું વધુ હોય તેવા ફળ કે વનસ્પતિ પાસુક સમજી ન લે. કોઈ ગૃહસ્થ સાથ કે સાદdીને ઘણાં ગોહલીવાળા દળ કે મw વનસ્પતિ માટે નિમંત્રણ આપે છે : છે આયુષ્યમાન શ્રમણ ! આપ આ બહુ ગોહલીવાળા ફળને આપ વેશ ઈચ્છો છો ? આવા શો સાંભળી અને સમજીને મુનિ પહેલા જ કહી દે કે, હે આયુષ્યમાન કે બહેના મને બહુ ગુટલીવાળા ફળ લેવા ન કહ્યું, દેવા ઇચ્છતા હો તો આ જેટલો ગભસારભાગ છે તે મને આપો, ઠળીઓ ન આપો. એમ કહેવા છતાં ગૃહસ્થ પોતાના પગમાં ઠળિયાવાળા ગતિ લાવીને દેવા લાગે તો આવો ગર્ભ ગૃહસ્થના હાથમાં કે પગમાં હોય તો અમુક લણી ન છે. કદાચ ગૃહસ્થ જબરદસ્તીણી આપી દે તો હું ન કરે, ધિક્કારે નહીં પણ તે લઈને એકાંતમાં જાય, જઈને ઉંધાન કે ઉપાશ્રયમાં કંડારહિત ચાવવ જીવજંતુરહિત ભૂમિ જોઇને ગભ કે મત્સ્ય વનસ્પતિ ખાઈને ઠળિા તથા કાંટાને લઈને એકાંતમાં જાય, જઈને દાદિ અચિત્તભૂમિમાં ચાવત પ્રમાર્જન કરીને પરઠવી દે. • વિવેચન : તે ભિક્ષુ જો આવા પ્રકારનો આહાર જાણે કે - શેરડીના પર્વનો મધ્ય ભાગ, શેરડીની ગંડેરી, પીલેલી શેરડીના છોતરા, મેરૂક, સાંઠો, ટુકડો, મગ આદિતી અચિત ફળી, વલપાપડીની થાળી કે સંધેલી ફલી આવી વસ્તુ ગહણ કરી હોય જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઘણું હોય તે જાણીને ગ્રહણ ન કરે. આ પ્રમાણે ‘માંસ’ સૂગ પણ
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy