________________ 218 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ // 489 217 રાવતુ રાજધાનીમાં પ્રવેશ કરે ત્યારે સ્વયં અદત્ત ગ્રહણ ન કરે, બીજ પાસે અદત્ત ગ્રહણ ન કરાવે, દત્ત ગ્રહણ કરવાવાળાની અનુમોદના ન કરે. જેમની સાથે પ્રવજિત થઈને રહે છે, તેઓના છત્ર યાવતું ચર્મ છેદનકને તેમની પહેલા અવગ્રહઆના લીધા વિના, પડિલેહણ-પ્રમાર્જન કર્યા વિના સામાન્ય કે વિશેષથી ગ્રહણ ન કરે. પૂર્વેથી તેમનો આગ્રહ ચાચી અનુજ્ઞાપૂર્વક પૂંજી-પ્રમાજીને યતનાપૂવક છે. વિવેચન : શ્રમ પામે તે શ્રમણ-તપસ્વી. તે હું આ રીતે બનું તે દશવિ છે. આગ એટલે વૃક્ષ, તેનાથી જે બને તે ઘર, તે ન હોય તે અનગાર-ગૃહપાશત્યાગી. અકિંચન-જેની પાસે કંઈ નથી તે - નિપરિગ્રહી. પુત્ર-સ્વજનાદિ હિત-નિર્મમ. પશુ-દ્વિપદ ચતુષ્પદાદિરહિત તથા પરદdભોજી થઈ હું પાપકર્મ નહીં કરું એવી પ્રતિજ્ઞાવાળો થાય તે દર્શાવે છે . જેમકે હે ભદંત ! હું સર્વથા અદત્તાદાનનું પચ્ચખાણ કરું છું. દંતશોધન માત્ર પણ બીજાએ આપેલ નહીં લઉં. આ પ્રતિજ્ઞાથી બીજા શાક્યાદિમાં શ્રમણત્વ નથી તે કહ્યું. આવો અકિંચન શ્રમણ - x* અદત લે નહીં - x * જે સાધુ સાથે દીક્ષા લીધી હોય કે રહ્યા હોય તેમના ઉપકરણ પણ તેમની આજ્ઞા વિના ન લે, તે બતાવે છે. જેમકે છત્ર-જે ઢાંકે છે. વર્ષ-કલા આદિ અથવા કારણિક. જેમકે કોંકણ દેશાદિમાં અતિવૃષ્ટિ સંભવ હોવાથી છમક પણ લે. ચાવતુ ચોદનક પણ આજ્ઞારહિત અને પડિલેહણ કર્યા વિના ન લે. * x પૂર્વે તેની આજ્ઞા લઈ ચક્ષુથી જોઈ, જોહરણથી, પ્રમાજી એક કે અનેકવાર ગ્રહણ કરે. * સૂત્ર-૪૯૦ - સાધસાતી જોd-વિચારીને ધર્મશાળા આદિમાં અવગ્રહની યાચના . તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા લે - હે આયુષ્યમાન ! આપની ઇચ્છાનુસાર જેટલો સમય અને જેટલા ક્ષેત્રમાં રહેવા આજ્ઞા આપો. તે પ્રમાણે રહીશું સાવ તે અવધિમાં અમારા કોઈ સાધર્મિક આવશે તો તે પણ રહેશે ત્યારપછી વિહાર કરીશું. તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સંભોગી કે સમાન સામાચારીવાળા સાધુ વિહાર કરીને પધાર્યા હોય ત્યારે પોતાના લાવેલ આશનાદિ માટે તેઓને નિમંત્રણ કરે, પણ બીજા મુનિ દ્વારા કે મુનિ માટે લાવેલ આશનાદિ માટે નિમંત્રણ ન કરે. * વિવેચન તે ભિક્ષ ધર્મશાળાદિમાં પ્રવેશી વિચાર કરીને સાધુ વિહાર યોગ્ય ક્ષેત્ર જુએ. પછી અવગ્રહ-વતિ આદિ યાયે. આ યાયના ગૃહસ્વામી કે તેણે નિયુક્ત કરેલ પાસે કરે - ફોગાવગ્રહ યાચે. કઈ રીતે ? હે ગૃહપતિ ! તમારી ઇચ્છા પ્રમાણે તમે જેટલો કાળ અનુજ્ઞા આપો, જેટલી જગ્યા આપો તેટલો કાળ તે વસતિમાં અમે રહીએ ઇત્યાદિ. તે અવધિમાં કોઈ સાધર્મિક સાધુ આવે તો તેમના માટે પણ આ અવગ્રહ આપશો, પછી અમે વિચાર કરીશું. અવગ્રહ ગ્રહણ કર્યા પછી - ત્યાં કેટલાક પરોણા એક સામાચારીવાળા ઉઘુકત વિહારી સાધુ-અતિથિ આવે તેમને પૂર્વના મોક્ષાભિલાષી સાધુ ઉતસ્વા દે તથા આપમેળે આવેલા પણ હોય. તેમને અશનાદિ લાવીને નિમંત્રણા કરે - કે મેં લાવેલ આ અશનાદિ તમે ગ્રહણ કરો. જો કે બીજાએ લાવેલા અશનાદિ માટે નિમંત્રણા ન કરે. - X - X - * સૂત્ર-૪૯૧ - આક્ત પ્રાપ્ત કરી ધર્મશાળા આદિમાં રહેલ સાધુ ત્યાં રહેલા કે આવતા સાધર્મિક, અન્ય સાંભોગિકને પોતે લાવેલ પીઠ, ફલક, શા-સંસ્તકાદિ માટે તેઓને આમંત્રિત કરે. પરંતુ બીજ મુનિ દ્વારા કે મુનિ કે લાવેલા પીઠ, ફલક આદિ માટે આમંત્રિત ન કરે. ધર્મશાળાદિમાં ચાવતુ અનુષ્ય લઈને રહેલ હોય અને તે સ્થાનમાં કોઈ ગૃહસ્થ કે ગૃહસ્થ» આદિ પાસેથી સોય, કાતર, કાન ખોતરણી, કેરણી અાદિ ઉપકરણ પોતા માટે યાચીને લાવેલ હોય તો તે અન્ય સાધુને ન આપે * ન . પણ કાર્ય પૂર્ણ થયે જ્યાંથી લાવેલ હોય તે ગૃહસ્થને ત્યાં જાય અને હાથ લાંબો કરી તે વસ્તુ ભૂમિ પર રાખે અને કહે કે, આ વસ્તુ તમારી છે. પરંતુ તે વસ્તુ પોતાના હાથે ગૃહસ્થના હાથ પર ન રાખે. * વિવેચન : બધું પૂર્વ સૂણ મુજબ નાખવું. વિશેષ એ કે, સાંભોમિકને પીઠ, કલકાદિ માટે નિમંત્રણ આપે. * * * * * વળી એક સાધુને આશ્રીને યાચિત સોય વગેરે બીજા સાધુને ન આપે પણ જેમની પાસે લીધા હોય તેમને પાછા સોપે. * સૂ-૪૨ - સાધુ-સાધ્વી એવા અવગ્રહને જાણે - (1) જે સચિત્ત પૃedી ચાવ4 જાળાથી યુકત હોય તો તેવા પ્રકારનો અવગ્રહ ગ્રહણ ન કરે. (2) જે ના શંભ આદિ પર ઉંચે હોય અને બરાબર બાંધેલ હોય તો યાવત ન ચાલે. (3) જે સ્થાન કાચી દીવાલ આદિ ઉપર હોય તો યાવતુ ન યાચે. (4) જે સ્થાન શંભ આદિ પર કે તેવા અન્ય ઉચ્ચસ્થાને હોય તો યાવતું ન યાચે. (5) જે સ્થાન ગૃહસ્થસુકત, અગ્નિ કે જલયુક્ત, સ્ત્રી-બાળક-પશુના ભોજન પાનથી યુકત હોય, બુદ્ધિમાન સાધુ માટે ત્યાં આવાગમન રાવતુ ધમનિયોગ ચિંતન માટે યોગ્ય ન હોય તો આવા સ્થાનને યાવતુ ન યાચે. સાધુ-સાધી એવા સ્થાનને જાણે કે (6) જેમાં આવાગમનનો માર્ગ ગૃહસ્થના મકાનની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે, તો પ્રાજ્ઞ સાધુ યાવતું તેવા સ્થાનને ન યાચે. () જે સ્થાને ગૃહપતિ યાવતુ દાસી પરસ્પર આક્રોશ કરતા હોય, તેલ આદિ મદન, નાનાદિ, ઠંડા કે ગરમ પાણીથી ગગસિંચન કરતા હોય કે નગ્ન થઈ ક્રીડા કરતાં હોય ઇત્યાદિ કથન શરણ્યા-અદયયન માફક જાણવું. માત્ર શય્યાને સ્થાને અવગ્રહ કહેવું. (8) જે સ્થાન વિકૃતિકારક