SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/પ/૧/૪૮૨ ૨૦૯ ૨૧ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ધારણ ન કરે કે તેવા વસ્ત્ર લે નહીં. તેવા ન ધોયેલા - ન રંગેલા વસ્ત્ર ધારણ કરી ગ્રામાંતર જતાં વસ્ત્ર ગોપવ્યા વિના સુખેથી વિચરે કેમકે તે અસાર વઅધારી હોય. આ જ વસ્ત્રધારી ભિક્ષનો સંપૂર્ણ ભિક્ષભાવ છે - કે તે આવા વસ્ત્રો ધારણ કરે. આ સૂગ જિનકભીને આશ્રીને છે, છતાં તે સ્થવિકલ્પીને પણ લાગુ પડે છે, તેમાં કોઈ વિરોધ નથી. દરવાજ, ઉખલ, નાનચોકી કે કોઈ બીજ ઉંચા સ્થાન ઉપર કે જે દુદ્ધિ, દુર્નિંક્ષિપ્ત, અનિકંપ, ચલાચલ હોય તો ચાવતું ત્યાં ન સૂકવે. સાધુ-સાદની વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો દીવાલ, નદીતટ, શિલા, ઢેફા કે તેવા કોઈ સ્થાને યાવતું ન સૂકવે. સાધુ-સાધ્વી અને સ્તંભ, મંચ માળા, પ્રાસાદ, હમ્મતલ કે તેવા કોઈ ઉંચા સ્થાને રાવત ન સૂકવે. સાધ-ન્માદળી તે વસ્ત્રને લઈને એકાંતમાં જાય, જઈને દગ્ધ ચાવતુ બીજી કોઈ અચિત ભૂમિનું પડિલેહણ તથા પ્રમાર્જન કરી - કરીને અને થોડું કે વધુ સૂકવે. આ તે સાધુ-સાળીનો સંપૂર્ણ આયાર છે, તેનું પાલન કરીને સંયમમાં યતનાવાનું બને. • વિવેચન : તે ભિન્ન અવ્યવહિત ભૂમિ પર વસ્ત્ર ન સૂકવે. તે ભિક્ષુ વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો થાંભલા આદિ પર ન સૂકવે તે ચંચળ આદિ હોય તો વરા પડવાનો ભય રહે છે. તેમાં પહેલુવા એટલે ઉંબર આદિ જાણવું. એ જ રીતે ભિત, શિલા, સ્કંધ, મંચાદિ પર પણ વસ્ત્ર પડવાના ભયે ન સૂકવે. જો સૂકવવા હોય તો તે વર લઈ નિર્જીવભૂમિને ચક્ષુ વડે જોઈને અને જોહરણથી પ્રમાજીને . આ તે ભિક્ષુનો ભિક્ષભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૫ “વૌષણા", ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ક ચૂલિકા-૧, અધ્યયન-૫ - ઉદ્દેશો-૨ o પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ રીતે - ઉદ્દેશા૧-માં વરગ્રહણવિધિ કહી, હવે તે પહેરવાની વિધિ કહે છે • x - • સૂગ-૪૮૩ - સાધુ-સાદની ઔષણા સમિતિ મુજબ વા યાયે, જેવા ગ્રહણ કર્યા હોય તેવા જ ધારણ કરે, તેને જુએ નહીં કે ગે નહીં કે ન ધોએક્સેલ વસ્ત્ર ધારણ કરે, વઓને ગોપન ન કરીને ગ્રામ આદિમાં વિચરે, તે નિસાર વસ્ત્રધારી કહેવાય. જ વસ્ત્રધારી મુનિનો સંપૂર્ણ આચાર છે. સાધ-સાદની ગૃહસ્થના ઘેર જવા ઇચ્છે તો બધાં કપડાં સાથે ગૃહસ્થના ઘર પ્રવેશે કે નીકળે. એ જ રીતે અંડિત ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતા કે ગામ-ગામ વિચરતા બધાં વસ્ત્રો સાથે રાખે. ઘણો વરસાદ વરસતો જોઈ સાધુ તેવું જ આચરણ કરે જેનું ‘‘fuઉષuT” અધ્યયનમાં કહ્યું છે. વિશેષ એ કે અહીં બધાં વસ્ત્ર સાથે લઈ જાય તેમ સમજવું. • વિવેચન : તે સાધુ અપરિકર્મ વોને યાચે, જેવાં લીધાં હોય તેવા પહેરે. પણ તેમાં કંઈ ન કરે જેમકે તે વ ધોવે નહીં, રંગે નહીં કે બકુશપણાથી ધોઈને ગેલા વસ્ત્ર 2િ/14 - x • x • હવે પાછું દેવાના વસ્ત્ર સંબંધી વિધિ કહે છે– • સરગ-૪૮૪ - કોઈ સાધુ મહત્ત આદિ નિયત કાલ માટે પ્રતિહાસિક વાની યાચના કરે યાવતુ એક, બે, ત્રણ, ચાર પાંચ દિવસ રહી પાછો ફરે ત્યારે કદાચ તે વસ્ત્ર ફાટી જાય, તો જેણે તે વસ્ત્ર આપેલ છે તે સાધુ આ ફાટેલા વાને ગ્રહણ ન કરે, લઈને બીજાને ન આપે, ઉધાર ન આપે, અદલાબદલી ન કરે, બીજ પાસે જઈને એમ પણ ન કહે કે, હે શ્રમણ ! તમે આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા ઇચ્છો છો ? તે & વસ્ત્રને ટુકડા કરી પરઠવે નહીં તેવું વસ્ત્ર સાંધેલું પણ પોતે ગ્રહણ ન કરે, પણ લઈ જનાર મુનિને જ આપી દે. તે એકાકી સાધુ ઉપરોકત વાત સાંભળીને વિચારે કે જે સાધુઓ તેવા પ્રકારના વોને મુહૂતકાળ યાવતુ એકાદિ પાંચ દિવસ સુધી લઈ જઈ કોઈ ગામ આદિથી પાછા ફરે ત્યારે તે ફાટેલ વસ્ત્ર ન પોતે તે ચાવવું તે વસ્ત્ર લઈ જનારને જ પરત કરી દે. આ રીતે બહુવચનનો આલાવો જાણવો. કોઈ મુનિ એમ વિચારે કે હું મુહૂર્ત આદિનું કહી વર્માની યાચના કરીશ, એક, બે યાવતુ પાંચ દિવસ ગ્રામાંતર જઈને આવીશ. વસ્ત્ર ભગાડી દઈશ તેથી તે લેશે નહીં, વસ્ત્ર મારું થશે, તે માયા કપટ છે, સાધુ તેમ ન કરે. • વિવેચન - તે કોઈ સાધુ બીજા સાધુ પાસે મુહાદિ કાળ માટે પ્રાતિહારિક વઅ યાયે, વાચીને એકલો જ પ્રામાન્તર જઈ ત્યાં એકથી પાંચ દિવસ રહીને આવે, ત્યાં એકલો હોવાથી તે વા બગડે કે ફાટે, ત્યારે તે વસ્ત્ર પાછું આપે તો પણ તેના પૂર્વના સ્વામીએ પાછું લેવું નહીં ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પણ જો કોઈ સાધુ એકલા ક્યાંક જતા હોય તો તેને તેવું વસ્ત્ર આપે. પણ તે વસ્ત્રનો સ્વામી પોતે આવું વા પોતે ન વાપરતા લઈ જનારને જ પાછું આપે અથવા બીજા કોઈ એકલા જનારને આપે. આ જ પ્રમાણે બહુવચનમાં જાણવું. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. • સૂગ-૪૮૫ - સાધુ-સાદવી સુંદર વર્ણવાળા વસ્ત્રને વિવર્ણ કે વિવર્ણ અને સુંદર વણવાળું ન કરે. મને બીજું વસ્ત્ર મળશે એમ વિચારી પોતાના જુના વસ્ત્ર બીજાને આપે, ન ઉધાર લે કે વસ્ત્રની પરસ્પર અદલા-બદલી ન કરે. કોઈ બીજા સાધુને એમ પણ ન કહે કે હે શ્રમણ ! તમે મારું વસ્ત્ર લેવા કે પહેરવા ઇચ્છો છો ? તે વસ્ત્ર ટકાઉ હોય તો એ વસ્ત્ર બીજાને સારુ નથી દેખાતું એમ વિચારી.
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy