________________
૨/૧/૩/૧/૪૪૫
૧૮૩
ૐ
ચૂલિકા-૧, અધ્યયન-૩, ઉદ્દેશો-૧
૦ હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણોવાળું સૂત્ર ઉચ્ચારવું તે કહે છે— • સૂત્ર-૪૪૫ :
સાધુ-સ્વામી જાણે કે વર્ષાકાળ આવ્યો, ઘણી વર્ષા થઈ, ઘણા જીવજંતુ ઉત્પન્ન થયા છે, ઘણાં બીજો ઉગ્યા છે, તે માર્ગ મધ્યે ઘણાં પાણી, ઘણાં બીજ યાવત્ કરોળીયાના જાળા થયા છે, માર્ગે ચાલવું કઠિન છે, માર્ગ બરાબર દેખાતો નથી. એમ જાણીને ગામ-ગામ વિહાર ન કરવો, જયણાપૂર્વક વધવાસ વ્યતીત કરવું જોઈએ.
• વિવેચન :
મુખ્યત્વે વર્ષાઋતુ આવે અને વરસાદ વચ્ચે ત્યારે સાધુએ શું કરવું ? અહીં વર્ષાકાળ અને વૃષ્ટિ આશ્રીને ચાર ભાંગા છે. તેમાં સાધુઓને આ જ સામાચારી છે એટલે અષાઢ ચોમાસુ આવ્યા પહેલાં ઘાસ, ફલક, ડગલ, ભસ્મ, માત્રકાદિનો પરિગ્રહ કરવો. કેમકે વધુ વર્ષા થતા ઇન્દ્રગોપક, બીયાવક, ગર્દભક આદિ ઘણાં પ્રાણી ઉત્પન્ન થાય છે. ઘણાં નવા બીજો અંકુરિત થાય છે. માર્ગે જતાં તે પ્રાણીઓ તથા બીજો યાવત્ જાળાથી માર્ગ વ્યાપ્ત હોય, તે કારણે માર્ગ શોધવો મુશ્કેલ પડે છે. સાધુ આ જાણી એક ગામથી બીજે ગામ ન જાય. તેથી સંયત સાધુ સમય જોઈને ચોમાસુ કરી લે. હવે તેનો અપવાદ કહે છે–
• સૂત્ર-૪૪૬ :
સાધુ-સાધ્વી જે ગામ સાવત્ રાજધાની વિશે એમ જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં વિશાળ સ્થંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિ નથી, પીઠ, ફલક, શય્યા, સંતાકાદિ સુલભ નથી, પાસુક-એષણીય આહાર-પાણી સુલભ નથી, ઘણાં શ્રમણ, બ્રાહ્મણાદિ આવ્યા છે અને આવવાના છે, વસ્તી સઘન છે, સાધુ માટે ભિક્ષાટન, સ્વાધ્યાયાદિ માટે આવાગમન સુગમ નથી. તે જાણીને તે ગામ યાવત્ રાજધાનીમાં ચોમાસુ ન કરવું. પરંતુ સાધુ એમ જાણે કે આ ગામમાં વિશાળ થંડીલભૂમિ અને સ્વાધ્યાય ભૂમિ છે, પીઠ-ફલકાદિ સુલભ છે, ભિક્ષા પાસુક મલે છે, શ્રમણ-બ્રાહ્મણાદિની ભીડ નથી, આવાગમન સરળ છે. તો તેવા ગામ યાવત્ રાજધાનીમાં ચોમાસુ રહે.
• વિવેચન :
તે ભિક્ષુ યાવત્ એવા રાજધાનિ આદિ જાણે કે અહીં - ૪ - મોટી સ્વાધ્યાય ભૂમિ તથા ડિલ ભૂમિ નથી, પીઠ ફલકાદિ સુલભ નથી, પ્રાસુક આહાર સુલભ નથી. એષણીય આહાર ન મળે - તે બતાવે છે - ઉદ્ગમાદિ દોષરહિત તે એષણીય, તે ન મળે. જે ગામ, નગરાદિમાં શ્રમણ, બ્રાહ્મણાદિથી - ૪ - વસતિ આકીર્ણ છે. તે ભિક્ષાટન, સ્વાધ્યાય, ધ્યાન, સ્થંડિલાદિ કાર્યમાં જનસંકુલત્વથી આકીર્ણ છે. ત્યાં પ્રાજ્ઞ સાધુને પ્રવેશ-નિર્ગમન ચાવત્ ચિંતનાદિક ક્રિયા ઉપદ્રવરહિત સંભવતી નથી.
૧૮૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
ઉક્ત સમસ્યાઓ ન હોય ત્યાં ચોમાસુ કરે. હવે વર્ષાકાળ પુરો થયા પછી
તે જાણીને સાધુ ત્યાં ચોમાસુ ન કરે.
ક્યારે ક્યાં જવું તે અધિકાર કહે છે–
- સૂત્ર-૪૪૭ :
સાધુ-સાધ્વી જાણે કે વર્ષાવાસના ચાર માસ વીતી ગયા છે, હેમંતઋતુના પણ પાંચ-દશ દિવસ વીતી ગયા છે, પણ માર્ગમાં ઘણાં પાણી યાવત્ જાળા છે, ઘણાં શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું નથી, એમ જાણીને સાધુ ગામગામ વિહાર ન કરે. પરંતુ જો એમ જાણે કે ચાર માસ પુરા થયા છે યાવત્ માર્ગમાં ઠંડા યાવત્ જાળા નથી, ઘણા શ્રમણ-બ્રાહ્મણનું આવાગમન થયું છે તેમ જાણે તો ગામ-ગામ વિહાર કરે
• વિવેચન :
જો સાધુ જાણે કે ચોમાસા સંબંધી ચારે માસ પૂરા થયા છે અર્થાત્ કારતક ચોમાસુ પૂરું થયું છે, ત્યાં જો ઉત્સર્ગથી વૃષ્ટિ ન થઈ હોય તો પડવા દિને જ બીજે સ્થાને જઈ પારણું કરે, પણ જો વર્ષા હોય તો હેમંત ઋતુના પાંચ-દશ દિવસ ગયા પછી વિહાર કરે. તેમાં પણ જો માર્ગમાં ઇંડા ચાવત્ જાળા હોય - X - બહું આવાગમન ન થયું હોય તો માગસર પૂનમ સુધી ત્યાં રહે, પછી તો ન જ રહે. તેથી વિપરીત સૂત્ર આ રીતે જ જાણવું. હવે માર્ગની સતનાનો અધિકાર કહે છે.
- સૂત્ર-૪૪૮ -
તે સાધુ-સાધ્વી ગામથી ગામ જતાં આગળ યુગમાત્ર ભૂમિ જોઈને ચાલે, માર્ગમાં ત્રસ આદિ પાણીને જોઈને પગનો અગ્રભાગ ઉઠાવીને ચાલે કે પગ પાછો હટાવીને કે પગ તિછાં કરીને ચાલે. બીજો માર્ગ હોય તો યાનાપૂર્વક બીજા માર્ગે જાય, સીધા માર્ગે ન જાય. એ જ પ્રમાણે સતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.
તે સાધુ-સાધ્વી ગામથી ગામ જતાં હોય અને માર્ગમાં પાણી, બીજ, હરિતકાય, સચિત પાણી કે માટી હોય તો બીજો માર્ગ મળતો હોય ત્યાં સુધી સીધા માર્ગે ન જાય. એ રીતે જ્યણાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે.
• વિવેચન :
તે ભિક્ષુ બીજે ગામ જતાં આગળ ચાર હાથ પ્રમાણ ગાડાના ધૂસરા આકારે ભૂ ભાગ દેખતો ચાલે, ત્યાં માર્ગમાં પતંગ આદિ ત્રસ જીવોને જુએ કે તે પગને કે પગના તળીયાને અડકે છે તો તેને ઓળંગીને ચાલે. આવા પ્રાણી પગ પાસે આવે ત્યારે પગ સંભાળીને મૂકે અથવા પગનો અગ્રભાગ ઉંચો કરીને કે પગને તીર્થો કરીને ચાલે. અન્ય માર્ગનો અભાવ હોય તો આ વિધિ છે, જો અન્ય માર્ગ હોય તો
તે માર્ગે જ જાય, સીધા માર્ગે ગ્રામાંતરે ન જાય, એ સૂત્રનો સારાંશ છે.
• સૂત્ર-૪૪૯ -
સાધુ-સાધ્વી એકથી બીજે ગામ જતા માર્ગમાં જુદા જુદા સીમાવર્તી આદિ