________________
૧/૪/૪/૧૫૨
પણ બધાં જીવ આશ્રયી સામાન્યથી જોતા આઠે કર્મનો સદ્ભાવ છે. તેથી કર્મનું સફલપણું કહ્યું. તેથી કર્મ કે તેના ઉપાદાન કારણ આશ્રવને નિશ્ચયથી છોડે-આશ્રવ થાય તેવું કૃત્ય ન કરે. વેદ અર્થાત્ - x - આગમ. તેને જાણે તે વેદવિદ્ - સર્વજ્ઞ ઉપદેશ વર્તી.
૨૩૩
આ મારો જ અભિપ્રાય નથી. બધાં તીર્થંકરોનો આશય છે તે કહે છે–
• સૂત્ર-૧૫૩ :
હે શિષ્ય ! રે વીર છે, સમિત છે, સહિત છે, સદા તનાવાનું છે, શુભાશુભ દર્શી છે, સ્વતઃ ઉપરત છે, લોકને યથાર્થરૂપે જોનાર છે, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશામાં સત્યમાં સ્થિત છે; તે વીર સમિત, સહિત, મતનાવાન, શુભાશુભદર્શી, સ્વયં ઉપરત, યથાર્થ લોક દૃષ્ટાના જ્ઞાનને હું કહીશ–
આવા યથાવસ્થિત સ્વરૂપ જાણનારને કોઈ ઉપાધિ નથી. તેમ કહું છું. • વિવેચન :સમ્યવાદ, નિવધ તપ, ચાસ્ત્રિ કહ્યું. હવે તેનું ફળ કહે છે જે કોઈ અતીત, અનાગત, વર્તમાન [] છે. તેઓ કર્મ વિદારણ સમર્થ હોવાથી વીર છે. સમિતિ યુક્ત, જ્ઞાનાદિ સહિત, સત્ સંયમ વડે સદા યતનાવાળા, શુભ અશુભને નિરંતર દેખનાર, પાપકર્મો રૂપ આત્માથી ઉપરત છે. જેવી રીતે લોક ચૌદ રાજ પ્રમાણ છે કે કર્મલોક છે - પૂર્વાદિ બધી દિશામાં રહેલ છે તેને દેખતા સત્ય, સંયમ, તપમાં સ્થિર છે, ત્રિકાળ વિષયતા જોનારા છે.
પૂર્વે અનંતા થયા, વર્તમાનમાં પંદર કર્મભૂમિમાં સંખ્યાતા છે. ભાવિમાં અનંતા સ્થિત રહેશે; તેઓનો ત્રણે કાળનો બોધ છે તે હું તમને કહીશ. તે તમે સાંભળો. તેઓ ‘વીર' ઇત્યાદિ વિશેષણ યુક્ત છે. - ૪ - ૪ - [તે બોધ આ પ્રમાણે] - જે કર્મજનિત ઉપાધિ છે તે નાકાદિ ગતિમાં જન્મ, સુખી-દુઃખી, સુભગ-દુર્ભગ, પર્યાપ્તકઅપર્યાપ્તક આદિ મળે કે નહીં તેવી પરમત શંકા છે. તીર્થંકરો સાક્ષાત્ જોઈને કહે છે - મમત્વ છૂટી જવાથી તેવા કેવલીને કર્મજનિત ઉપાધિ નથી. તેમ હું કહું છું. અધ્યયન-૪ “સમ્યક્ત્વ'' ઉદ્દેશો-૪ “સંક્ષેપવચન'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂત્રાનુગમ કહ્યો. નયવિચારથી તેનો અતિદેશ કર્યો. અધ્યયન પૂરું થયું.
આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૪નો મુનિદીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ
૨૩૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫ લોકસાર
• ભૂમિકા :
ચોથું અધ્યયન કહ્યું. હવે પાંચમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ગત અધ્યયનમાં સમ્યકત્વ કહ્યું. તેમાં જ્ઞાન રહેલું છે. તે બંનેનું ફળ ચારિત્ર એ મોક્ષનું પ્રધાન અંગ છે, તેથી લોકમાં સારરૂપ હોવાથી તેના પ્રતિપાદન માટે આ અધ્યયન
છે. આવા સંબંધથી આવેલા આ અધ્યયનના ઉપક્રમ આદિ ચાર અનુયોગ દ્વારો છે. ઉપક્રમ દ્વારે અર્થાધિકાર બે રીતે છે. અધ્યયન અધિકાર પૂર્વે કહ્યો. ઉદ્દેશ અધિકાર નિર્યુક્તિકાર કહે છે–
[નિ.૨૩૬ થી ૨૩૮] હિંસા કરે તે હિંસક. આરંભ કરવો તે આરંભ. વિષયોનો આરંભ કરતો તે વિષયારંભક. - x - હિંસક અને વિષયારંભક સાથે લીધા. જે સાધુ પ્રાણીની હિંસા કરે અને વિષય સુખ માટે સાવધ આરંભ કરે તે મુનિ ન કહેવાય. વિષયસુખ માટે એકલો વિચરે તે એકચર છે. તે પણ મુનિ નથી. પહેલા ઉદ્દેશામાં હિંસક, વિષયારંભક, એકચરનો અધિકાર છે.
બીજા ઉદ્દેશામાં-હિંસાદિ પાપસ્થાનોથી જે દૂર રહે તે વિરત મુનિ, તેનો અધિકાર છે. બોલવાના આચારવાળો તે વાદી, પણ અવિસ્ત વાદી પરિગ્રહવાળો હોય છે. તેનો અધિકાર છે.
ત્રીજા ઉદ્દેશામાં-આ જ વિત મુનિ અપરિગ્રહી બને છે અર્થાત્ કામ અને ભોગથી દૂર રહે છે. તેનો અધિકાર છે.
ચોથા ઉદ્દેશામાં - અગીતાર્થને સૂત્રાર્થ વિના દુઃખો ભોગવવા પડે છે. પાંચમાં ઉદ્દેશામાં દ્રહની ઉપમાથી સાધુને ચિંતવવા. જેમ પાણી ભરેલ અને પાણી ન ઝરે તેવો દ્રહ પ્રશસ્ય છે, તેમ સાધુ પણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિથી ભરેલો હોય અને વિસરી ન જાય તથા તપ, સંયમ, ગુપ્તિથી નિસંગતા રાખે.
છઠ્ઠા ઉદ્દેશામાં ઉન્માર્ગ વર્જન અર્થાત્ કુદૃષ્ટિ અને રાગદ્વેષ ત્યાગ છે. નામ નિષ્પન્ન નિક્ષેપામાં આદાન પદ, ગૌણ બંનેને નિર્યુક્તિમાં કહે છે–
[નિ.૨૩૯] પ્રથમ ગ્રહણ કરાય તે આદાન. તેનું પદ તે આદાન પદ. તેના કરણપણાથી આવતી તે નામ છે. અધ્યયનના આરંભે તે બોલાય છે. - ૪ - ગુણથી નિષ્પન્ન તે ગૌણ. ગૌણનામ તે ‘લોકસાર’ છે. ચૌદ રાજ પ્રમાણ લોકનો સાર તે લોકસાર, બે પદ વાળું નામ છે. લોક અને સારના ચાર નિક્ષેપા છે. નામલોક-કોઈનું ‘લોક’ નામ રાખે. સ્થાપના લોક-ચૌદ રાજલોકની સ્થાપના. તેની ત્રણ ગાથા છે. [તેમાં ગણિત પ્રક્રિયા છે, જે જ્ઞાતા પાસે જ સમજવી.
દ્રવ્યલોક - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ છનો સમૂહ. ભાવલોક-ઔદયિક આદિ છ ભાવરૂપ કે સર્વ દ્રવ્ય-પર્યાયાત્મક.
‘સાર' પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યસારને કહે છે—