________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गतिः । कर्मबन्धविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते ॥ १२ ॥ ऊर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माण: पुद्गला इति चोदितम् ॥ १३ ॥ यथाsस्तिर्यगूर्ध्वं च लोष्टवाय्वग्निवीतयः । સ્વમાવત: પ્રવર્તો, તથોર્ધ્વ ગતિરાત્મનામ્ ॥ ૪ ॥ अतस्तु गतिवैकृत्य- मेषां यदुपलभ्यते ।
મળ: પ્રતિષાતાŽ, પ્રયોળાએઁ ત−િતે ॥ ॥ अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥ १६ ॥
૪૫૫
બંધછેદ—
(૧૨) એરંડફળ, યંત્ર અને પેડા (?)નું બંધન છેદાતાં અનુક્રમે બીજ, કાષ્ઠ અને પેડાપુટ(?)ની ગતિ થાય છે, તેમ કર્મનું બંધન છેદાતાં સિદ્ધજીવની ઊર્ધ્વ ગતિ થાય છે.
ઊર્ધ્વગૌરવ
(૧૩) જીવો ઊંચે જવાના સ્વભાવવાળા અને પુદ્ગલો નીચે જવાના સ્વભાવવાળા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.
(૧૪) જેમ સ્વભાવથી પાષાણ નીચે જાય છે, વાયુ તિર્યક્=તિક્ષ્ણ ગતિ કરે છે, અગ્નિ ઊંચે ગતિ કરે છે, તેમ સ્વભાવથી જ આત્માની ગતિ ઊર્ધ્વ થાય છે. (વીતય:=ાતય:)
આત્મા આદિની સ્વભાવથી વિરુદ્ધ ગતિ થવાનું કારણ—
(૧૫) આત્મા આદિની પોતાના સ્વભાવથી વિરુદ્ધ ગતિ જે દેખાય છે, તે કર્મ(=ક્રિયા), પ્રતિઘાત(ભીંત આદિનો) અને પ્રયોગ(પુરુષની ઇચ્છા પ્રમાણે) એ ત્રણ કારણોથી થાય છે.
કર્મથી સ્વભાવવિરુદ્ધ ગતિ—
(૧૬) કર્મયુક્ત જીવોની કર્મના કારણે ઊર્ધ્વ, અધો અને તિર્કી એમ ત્રણે ગતિ થાય છે. પણ કર્મરહિત જીવોની સ્વાભાવિક ઊર્ધ્વગતિ જ થાય છે.