SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થ પ્રકાશ ભાગ-૨ ૮. રાજસ્થાન ભરતપુર જીલ્લામાં બડોદાકાંત ખાતે વિમલનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું. શંખેશ્વર તીર્થમાં મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુને રત્નજડિત મુગટ ચડાવ્યો. ૯. ૯ ૧૦. વરસો સુધી ખંભાતમાં વિચરતાં સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ (ઔષધ)નો લાભ લીધો. ૧૧. અનેક સાધર્મિકોની ગુપ્ત રીતે ભક્તિ કરી. ૧૨. ગીરનાર તીર્થ સહસાવનમાં સમવસરણ મંદિરમાં નેમિનાથ પ્રભુ ભરાવવાનો લાભ લીધો. ૧૩. અમદાવાદ દીપકુંજ સોસાયટીમાં સ્વદ્રવ્યથી ઉપાશ્રય કરાવ્યો. ૧૪. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વર્ધમાન તપની ૧૦૮મી ઓળીના પારણા પ્રસંગની ભવ્ય ઉજવણી મુંબઈમાં થઈ. મુનિઓમાં માસક્ષમણ, સિદ્ધિ તપ વગેરે અનેક તપસ્યાઓ થઈ. આ નિમિત્તે ૬૦૦ વર્ધમાનતપના પાયા નંખાયા. હજાર જેટલી નવી ઓળીઓ થઈ. વિશાળ મહોત્સવનું આયોજન થયું. આ બધો લાભ પાંચ ગુરુભક્તો તરફથી લેવાયો. તેમાં સૌ પ્રથમ પોતાના પતિનું નામ લખાવ્યું. ૧૫. પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં પ્રતિવર્ષ શ્રી સીમંધરસ્વામીના વિશાળ સંખ્યામાં અઠ્ઠમ તપ થતાં તેમાં ઘણા વર્ષો સુધી અત્તરપારણાનો લાભ લીધો. પ્રારંભમાં કોઈકના ભાગમાં લાભ લેવાતો હતો અને પાછળથી પોતે એકલા લીધો. લગભગ દશહજારથી વધુ અઠ્ઠમ તપના અત્તરપારણાનો ભાગ લીધો. ૧૬. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા., પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. વગેરેના સપરિવાર ખંભાતમાં ૨૦૩૭-૨૦૩૮માં બે
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy