SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ભાષ્યત્રયમ્ જે અવસ્થામાં અને જે કાળમાં કરવાનું કહ્યું છે તે રીતે તે અવસ્થામાં અને તે કાળે જ તે પ્રત્યા૦ કરવું યોગ્ય છે, એવી જે શ્રદ્ધા રાખવી તે. ૨ જ્ઞાનશુદ્ધિ - અમુક પચ્ચ૦ અમુક અવસ્થામાં અમુક કાળે અમુક રીતે કરવું યોગ્ય છે અને અમુક રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારનું જે જ્ઞાન તે. રૂ વિનયશુદ્ધિ- ગુરુને વંદન કરવા પૂર્વક જે પચ્ચ૦ કરવું તે. ૪ મનુભાષાશુદ્ધિ- ગુરુ પચ્ચ૦ ઉચ્ચરાવે તે વખતે મંદ સ્વરે પોતે પણ પચ્ચ૦નો આલાપક ગુરુ સાથે બોલવો-ઉચ્ચરવો તે. (અથવા ગુરુ પચ્ચકખાઈ કહે ત્યારે પચ્ચખામિ અને વોસિરઈ કહે ત્યારે વોસિરામિ કહેવું તે. 4 અનુપાતનશુદ્ધિ- વિષમ સંકટ પ્રાપ્ત થતાં પણ પચ્ચ૦ ભાંગવું નહિ પરંતુ સમ્યક્ પ્રકારે પાલન કરવું તે. ૬ માવશુદ્ધિ- આ લોકમાં ચક્રવર્તી આદિના સુખની ઇચ્છા તથા પરલોકમાં ઈન્દ્રાદિકના સુખની અભિલાષા રહિત ( એટલે નિયાણા રહિત) તેમજ બીજા કોઈપણ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પચ્ચ૦ પૂર્ણ કરવું તે. ૧ “અવસ્થા” તે સાધુને અંગે જિનકલ્પ-સ્થવિરકલ્પ-પરિહારકલ્પ યથાલંદકલ્પબાર પ્રતિમાધારી, ઈત્યાદિ, તેમ જ ગ્લાનાદિ અવસ્થા, અને શ્રાવકને અંગે ૧૧ પ્રતિમાધર, પ્રતિમારહિત. નિયતવ્રતી (અમુક વખતે અમુક પચ્ચખાણ કરવાની નિત્ય પ્રતિજ્ઞાવાળા), અને અનિયતવ્રતી (છૂટા) ઇત્યાદિ. ૨. “a” તે સુકાળ-દુષ્કાળ-વર્ષાકાળ-શેષકાળ ઇત્યાદિ, અથવા નમુક્કારસહિયંનો ગ્રહણકાળ સૂર્યોદય પહેલાં અને પૂર્ણ કાળ સૂર્યોદયથી ૧ મુહૂર્ત બાદ ઇત્યાદિ રીતે પણ પ્રત્યેક પચ્ચખાણનો યથાસંભવ કાળ જાણવો. એ ત્રણ વિષયોને અવચૂરિમાં સંક્ષેપથી કહ્યા છે તે આ પ્રમાણે- “મદવા” તિ यत्साधुश्रावकविषयं मूलोत्तरगुणप्रत्याख्यानं यत्र जिनकल्पादौ यत्र सुभिक्षदुर्भिक्षादौ काले च तथा श्रीसर्व रुक्तं तत्तत्र तथा श्रद्धत्ते इति श्रद्धानशुद्धिः ॥ ૩. ગુરુને પોતાના તરફ રાગી બનાવવા માટે, લોકોને પોતાના ભક્તિભાવવાળા બનાવવા માટે, કોઈ પ્રિય વસ્તુનો વિરહ થતાં તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે (બાધાઆખડીના સ્વરૂપમાં એ પ્રત્યાખ્યાન લોકપ્રસિદ્ધ છે.) ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા માટે અને આ ભવ-પરભવનું સુખ મેળવવા માટે જે તપશ્ચર્યા કરવી તે સર્વ રાહિત પ્રત્યાખ્યાન કહેવાય, તથા આ વસ્તુ ભાવતી નથી અથવા ગમતી નથી તેનો ત્યાગ કરવો અથવા વિરોધીને સંતાપ ઉપજાવવાને તેજોવેશ્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈત્યાદિ કારણથી દેવદિત પ્રત્યાખ્યાન કહેવાય. અથવા ચાલુ તપશ્ચર્યામાં
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy