________________
‘વત્સ...! એનું કારણ છે. પાટણમાં ચૈત્યવાસીઓનું જોર છે. આપણે સંવેગી સાધુઓ કહેવાઇએ. તેઓ આપણને ઊતરવા નહિ આપે. ચૈત્યવાસી સાધુઓએ રાજાઓ મારફત પોતાના સિવાય અન્ય સાધુઓને નહિ ઊતરવા દેવાનો કાયદો કરાવેલો છે. ઊતરવાની જગ્યા જ ન મળે પછી ત્યાં જવું શી રીતે ?
‘ગુરુદેવ...! મને પાટણ જવાની ઘણી હોંશ છે. ત્યાંના તીર્થસ્વરૂપ મોટા-મોટા મંદિરોના દર્શન કરવાની ખૂબ જ ઇચ્છા છે. તો થોડા દિવસ માટે કોઈ ઓળખીતાને ત્યાં ઊતરવાની વ્યવસ્થા ન થઇ શકે ? આપે તો પાટણમાં ઘણી વાર દર્શન કર્યા હશે, પણ મેં કદી નથી કર્યા. અત્યારે આપણે પાટણની પાસે પહોંચ્યા જ છીએ તો ત્યાં જઇ આવીએ...'
‘ભલે તારી ચૈત્યપરિપાટીની ઇચ્છા હું પૂર્ણ કરીશ.” અને બાલમુનિ મુનિચંદ્રની વાત માનીને ગુરુદેવે પાટણમાં પ્રવેશ કર્યો. કોઇ પરિચિતને ત્યાં ઊતર્યા...
બાલમુનિ ઝટપટ ચૈત્યોની પરિપાટી કરવા માટે નીકળી પડ્યા. એક વખતે તેઓ થરાપદ્રગચ્છના શ્રી આદિનાથ પ્રભુના દેરાસરમાં દર્શન કરવા ગયા.
દર્શન કરીને બહાર નીકળ્યા. ત્યાં એમના કાને સંસ્કૃત ભાષાની ચર્ચાના શબ્દો પડ્યા. તેમણે જોયું તો બાજુના સ્થાનમાં કોઇ આચાર્યશ્રી પોતાના બત્રીશ શિષ્યોને કંઇક ભણાવી રહ્યા હતા. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ભણાવનાર આચાર્યશ્રી એ બીજા કોઇ નહિ પણ વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિજી હતા. તેમને યાદ આવ્યું. ઓહ ! આ તો તે જ આચાર્યશ્રી, જેમણે ભોજરાજાની સભામાં ૮૪ વાદીઓને હરાવી જિન-શાસનની વિજયપતાકા ફરકાવી હતી અને તે બદલ તેમને રાજાએ આપેલા ૮૪ લાખ દ્રમ્મથી ધારામાં જિનાલયો બનાવ્યા હતા. તેમની આવી વાદશક્તિ જોઇને
મહાકવિ ધનપાલે રાજા ભોજને કહેલું : “રાજન ! દરેક વિજય દીઠ જો આપ એક લાખ દ્રમ્મ આપવા જશો તો તિજોરી સાફ થઇ જશે. આપનું નામ ભલે શાંતિસૂરિ હોય પણ તેઓ વાદીઓ માટે તો વેતાલ જેવા વિકરાલ છે. કવિની આ વાત વધાવીને રાજાએ તેમને ‘વાદિવેતાલ' તરીકે ઘોષિત કર્યા હતા. બાલમુનિને આ બધી સાંભળેલી વાતો યાદ આવવા લાગી. આવા મહાન આચાર્યશ્રીના આમ અચાનક જ દર્શન થઇ જશે, એવી તેમને કલ્પના જ ન હતી. તેમના મનમાં વિચાર સ્ફર્યો : આવા આચાર્યશ્રી પાસે હું પણ કેમ ન ભણું ? આવો મોકો મળે ક્યાંથી..?
તેઓ તરત જ ચાલતા પાઠમાં ધીરેકથી પહોંચી ગયા અને નમસ્કાર કરી સૌથી પાછળ બેસી ગયા. થોડીવારમાં જ તેઓને સમજાઈ ગયું કે આચાર્યશ્રી બૌદ્ધદર્શનના પ્રમેયવાદનો પાઠ આપી રહ્યા છે. પાઠ ખૂબ જ કઠિન હતો. ચર્ચા ઘણી જટિલ હતી. પણ તીક્ષ્ણ બુદ્ધિમત્તાના કારણે તેમને તો તદ્દન સરળ લાગવા માંડી.
તેમને પાઠમાં ખૂબ જ રસ પડ્યો. તેઓ દરરોજ પાઠમાં આવવા લાગ્યા.
દસ દિવસના અંતે આચાર્યશ્રીએ બત્રીશય શિષ્યોનો પાઠ સાંભળવા માંડ્યો. પણ અફસોસ...! બત્રીશમાંથી એક પણ શિષ્યને પાઠ આવડ્યો નહિ કે કઠિન ચર્ચા સમજાણી નહિ. આથી આચાર્યશ્રી નિરાશ બની ગયા : અરેરે... ! બત્રીશમાંથી એક પણ પ્રતિભાશાળી નથી ? જો આટલો ય પાઠ નહિ સમજી શકે તો મારી પાટ સંભાળશે કોણ...? મારી વાદકળા અપનાવશે કોણ...? શું મારું જ્ઞાન મારી પાસે જ રહેવાનું ?
- આચાર્યશ્રીનો હતાશ ચહેરો જોઇ બાલમુનિ મુનિચંદ્ર તરત જ તેમની પાસે આવ્યા અને કહ્યું : “પૂજયવર ! આપ જો આજ્ઞા ફરમાવો તો હું પાઠ સંભળાવું.”
બજે મધુર બંસરી + ૨૯૦
બજે મધુર બંસરી * ૨૯૧