________________
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
એકવાર સ્વપ્ર આવ્યું. અદ્દભુત હતું એ સ્વપ્ર ! એમાં દેખાયું : ઊર્ધ્વલોકનો સ્વામી મહેન્દ્ર, મર્યલોકનો સ્વામી નરેન્દ્ર અને પાતાલલોકનો સ્વામી ફણીન્દ્ર (ફણી-નાગ) ત્રણેય ફરતા ફરતા એક જગ્યા પર આવી ચડ્યા. રમણીય જગ્યા જોઇ ગામ વસાવવાનું મન થયું, પણ ફરી એજ અહં ટેકરાયો અને નામ માટે જોરદાર ઝગડો થયો.
મહેન્દ્ર કહે : હું ઊર્ધ્વલોકનો સ્વામી છું. તમારા બધાથી ઉપર રહું છું તેથી હું મોટો છું. માટે આ ગામનું નામ “મહેન્દ્રપુર' જ રાખવું પડશે. - નરેન્દ્ર કહે : હું માનવલોકમાં રહેનારો છું. તમારામાંનો એક ઉપર છે તો બીજો નીચે છે, પણ વચ્ચે તો હું છું. દુનિયામાં પણ વણલખ્યો કાયદો છે કે જે વચ્ચે જ હોય તે જ નાયક કહેવાય. માટે હું કહું છું કે ગામનું નામ ‘નરેન્દ્રપુર’ જ હોવું જોઇએ.
ફણીન્દ્ર કહે : તમે સૌ મારી વાત તો સાંભળો. હું તમારા બધાથી નીચે રહું છું. પણ તેથી શું થયું ? મકાનમાં પાયો નીચે જ હોય છે. છતાં તેના આધારે જ મકાન ટકી રહેલું હોય છે ને ? મારા આધારે જ તમે છો. માટે હું કહું છું કે આ ગામનું નામ ‘ફણીન્દ્રપુર' જ રાખવું જોઇએ.
ત્રણેયની આ વાત સાંભળી બાજુમાં ઉભેલો રાજેન્દ્ર નામનો માણસ બોલી ઊઠ્યો : તમે ત્રણ તો માત્ર દેવના છે નરના કે ફણીના રાજા છો, જયારે હું તો રાજાઓનો પણ રાજા છું, મારું નામ રાજેન્દ્ર છે. માટે આ ગામનું નામ “રાજેન્દ્રપુર' જ પાડો.
8A%A88888A YAUAAAAAAAAA
||
૨ ||