________________
પ્રેરણાદાતા પૂજ્ય પંન્યાસજી ભગવંત
જણાવતાં અતીવ આનંદ થાય છે કે
મને આ અદ્ભૂત ગ્રંથરત્નનો પ્રથમ પરિચય કરાવનાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર છે; જેમના વિરલ ચુંબકીય વ્યક્તિત્વથી ઘણોખરો જૈન સમાજ પરિચિત અને પ્રભાવિત છે અને જેમને ‘શ્રી નવકારવાળા મહારાજ' તરીકે બિરદાવવામાં ગૌરવ અનુભવે છે, એવા એ મહામના મહાપુરૂષનાં પુનિત દર્શન અને શુભ સમાગમનો પ્રથમ લાભ મને વિ.સં. ૨૦૧૩માં માંડવી (કચ્છ) મુકામે મળ્યો હતો.
પ્રથમ દર્શને જ મારા અંતઃકરણમાં અનુપમ અહોભાવ અને પૂજ્યભાવ ઉલ્લસિત થયો હતો અને પછી તો જેમ જેમ તેઓશ્રીના નિકટ સંપર્ક અને સમાગમમાં આવવાના અવસર મળતા રહ્યા, તેમ-તેમ મારા ચિત્તમાં અંકુરિત થયેલો તે અહોભાવ વૃદ્ધિ પામતો ગયો.
પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રીના પ્રભાવક સમાગમમાં આવીને તેમજ તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ નિશ્રા સેવીને અનેક આત્માઓએ પોતાના જીવનમાં અપૂર્વ પ્રેરણા મેળવી છે. તેમજ તેઓશ્રીએ ચીંધેલા માર્ગ પર ચાલીને આત્મરણકારવંતા જીવનનો અપૂર્વ આનંદ અનુભવ્યો છે. તેમજ પ્રાતઃ સ્મરણીય એ ગુરુવર્યના
સઘન આશીર્વાદ તથા અનુગ્રહને પાત્ર બનીને ધન્યતા-કૃતાર્થતા માણી છે.
મારા જીવન ઉપર પણ આત્મપ્રતાપી આ મહાપુરુષે જે અગણિત ઉપકારો કર્યા છે, આંખનાં અમી વરસાવ્યાં છે, તેને શબ્દોમાં વર્ણવવા હું અસમર્થ છું. મારા પરમોપકારી આ મહાપુરુષનું પ્રતિપળ સ્મરણ કરવાપૂર્વક તેઓશ્રીના પુનિત ચરણ કમળમાં કૃતજ્ઞભાવે નતમસ્તક રહી હું સદા-સર્વદા કૃતાર્થતા અનુભવું છું. ‘ધ્યાન-વિચાર' અંગે પ્રેરણા
પરિશ્રમની લવલેશ પરવા કર્યા સિવાય પણ પાત્ર આત્માઓને પત્રના માધ્યમથી પૂર્ણ સંતોષ અને સમાધાન કરાવનારા પૂજ્ય પંન્યાસજી મહારાજે મને પણ પ્રત્યક્ષમાં તેમજ પત્ર દ્વારા ઘણી ઘણી પ્રેરણાઓ આપી છે. પ્રેરણાત્મક એક કૃપાપત્રમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે ધ્યાન વિચાર પ્રકરણ જોયું હશે, ન જોયું હોય તો એકવાર અવશ્ય જોઇ જશો. ધ્યાન વિષયક ઘણી રહસ્યમય બાબતોનું તેમાં વર્ણન છે, ‘નમસ્કાર સ્વાધ્યાય' (પ્રાકૃત વિભાગ)માં તે પ્રકાશિત થયેલું છે.’
‘ધ્યાન વિચાર’ના વાંચન માટેના પૂજ્યશ્રીના પ્રેરણાભર્યા આ થોડાક શબ્દો વાંચતાં જ મારાં રોમ-રોમ પુલકિત થઇ ગયાં અને હૃદયમાં એક એવો અપૂર્વ
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૫