________________
‘સોહં સોહં સોહં સોહં સોહં સોહં પહોંચી જાય છે. ત્યાં અનુભવ-જ્યોતિ રટના લગીરી... પ્રકાશિત થાય છે. આત્મ-મંદિરના ઇંગલા પિંગલા સુષુમના સાધકે, દરવાજા ઊઘડી જાય છે. અર્થાત્ વાદળ અરુણપતિથી પ્રેમ પગીરી... ખસતાં સૂર્યનો ઉઘાડ થાય છે. તેમ તેવા પ્રકારનાં કર્મનાં આવરણો દૂર થઇ જતાં સ્વાત્મ-રવિનાં દર્શન થાય છે. જેમાં
વંકનાલ ષટ્ચક્ર ભેદકે, દશમ-દ્વાર શુભ જ્યોતિ જગીરી...
જરા ભય ભીતિ ભગીરી...
ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ આત્મા, આત્માને આત્મારૂપે અનુભવતો હોય છે. આ જ સ્વાત્માનુભૂતિ છે. પછી જેને જન્મ-મરણ નથી તે આત્માનું જ સામ્રાજ્ય બધે સ્થપાય છે. એટલે જન્મમરણના ભય નામશેષ થઇ જાય છે. ‘અબ હમ અમર ભયે’ – એ સત્ય જીવાય છે. કુટિલ એવી કુમતિને ઠગીને ધ્યાતા ચિંતામણિ તુલ્ય સ્વાત્મ-દર્શનને પામે છે અને વ્યોમ-વિહારી પંખીની જેમ આત્માના ચરાચર વ્યાપક સ્વરૂપને અસ્થિ મજ્જાવત્ બનાવીને ચિદાનંદમય સ્વરૂપમાં જ સ્થિરત્વ પામે છે. કુંડલિનીનું સ્વરૂપ જૈન ગ્રંથોમાં કુંડલિની-શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમાંના કેટલાક નિર્દેશો અહીં નોંધવામાં આવે છે, તે આ પ્રમાણે છે
(૧) જે યોગીશ્વરોએ ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાની પવનસહિત ચિત્તનો નિરોધ કરીને અને એ રીતે માનસિક વિક્ષેપોને દૂર કરીને, સહજ રીતે નિરુપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત
કાચ શકલ તજ ચિંતામણિ લઇ, કુમતિ કુટિલકું સહજ ઠગીરી...
વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભમે મગ લહત ખગીરી...
ચિદાનંદ આનંદ મુરતિ નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી...
ભાવાર્થ : ‘અર્હ’ આદિ મંત્ર-પદોના દીર્ઘકાલીન ધ્યાનાભ્યાસથી જ્યારે ધ્યાતાના આત્મામાં અક્ષરના સ્થાને અનક્ષર ધ્વનિરૂપ ધ્યાનની ધારા વહે છે ત્યારે ‘સોડહં, સોહં'નો નાદ અક્ષરાત્મક મટી ધ્વન્યાત્મક બને છે.
તે નાદને ધ્યાતાનો આત્મા જ સાંભળે છે. તે નાદના સહજ પ્રભાવે પ્રાણશક્તિ ઇંગલા, પિંગલાના માર્ગને ત્યજીને સુષુમ્હામાં પ્રવેશ પામે છે. ત્યારે ધ્યાતા સ્વાત્સરાજના દર્શન કાજે ધ્યેયસ્વરૂપને પામવા માટે તલપાપડ બને છે. તેને લઇને તેની પ્રાણશક્તિ વક્રનાલ (વાંસાના કરોડનો ભાગ) અને ષટ્ચક્રોનું ભેદન કરીને દશમા દ્વાર બ્રહ્મરંધ્રમાં
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૮