________________
૨૭
ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણું ભૂલ સિવાય દેખી રીતે મૂળ પાઠ ૌત્રાળ-અનુક-રત્ન એમ વાંચી શકાય છે. વલભીના બાકીના પહેલાંના લેખેની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓમાં પણ આ જ પાઠ છે. આ લેખના પ્રસિદ્ધકર્તાઓએ “સંપન્ન” વાંચેલું છે કારણ કે વલભીના પછીના લેખમાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખમાં “સપન’ જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સબળ કારણુના અભાવે આપણે માનવું જોઈએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણુમાં આજ પાઠ હતા, અને પછીના લેબેને
સંપન્ન” પાઠ લખનારની ભૂલનું જ પરિણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણ એ છે કે જે “સપન” પાઠ કબૂલ કરીએ તે “મૈત્રકામ’ શબ્દને, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતા નથી, અને તેને “ અભવતુ” ક્રિયાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડે પડે. મિત્રજામ્ ( એટલે, મૈત્ર) મરડમવા એ પ્રમાણે આ ભાગને અર્થ કરીએ, અથવા મંત્રજામ્ પછી જે ઉમેરીએ તોપણ એટલું તે જણાઈ આવે છે કે વલભી રાજાઓને પૂર્વજ ભટાર્ક પિતે મૈત્રક વંશને હતા.
"Aho Shrut Gyanam"