________________
शीलादित्य ६ हानां ताम्रपत्रो શીલાદિત્યદેવ પ મ આ વંશને જાણવામાં આવેલ અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શિલાદિની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાએ, એવી જે જૈનેની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે.
ડહકમાં વસતા ડાતલ્લનો પુત્ર સંભૂલ નામ અને પારાશર ગાત્રને એક અથર્વવેદી બ્રાદાણુ દાન મેળવનાર છે. તેને સ ર્વ એટલે “તે(શહેર)ની ચતુર્વેદીઓની જ્ઞાતિને અંગ કહ્યો છે. ત્રણ નામે સંસ્કૃત નથી પણ દેશી શી જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીએનું એક ન્હાનું થાણે છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કોઈ પૂર્વજ હોય. વાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા વિષયોમાં આવેલું બહુઅટક ગામ દાનમાં આપ્યું છેઃ
દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યનું ખર્ચ પૂરું પાડવા માટે છે.
તારીખ “સંવત ૪૪૧ ના કાર્તિક શદ પ” અથવા “ સંવત ૪૪૧ ના કાર્તિકના થકલ પક્ષ અને દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદ્દન ચકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થનાં ગંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતો અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતા આવે છે. પણ ૧, હોય એવું જણાતો એક આડો લીટે, ત્યાર પછી આવતો હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેનું અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિકને વધારે મળતી આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટે વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીને ભાગ હેય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે.
૧ ફારબસ, રાસલા ને. ૧ ૫. ર૪૫ માં રાયપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદર કહે છે અને પાર છે કે તે દાચ સુરત હેય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું.
"Aho Shrut Gyanam"