________________
२००
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
પં. ૧ એમ સ્વસ્તિ વિજયશાળી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકોના અતુલ બલથી સંપન્ન મંડલવિસ્તારમાં થયેલી સા સે લડાઈ આથી જેને પ્રતાપ મેળવ્યું હતું, પિતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિકતાથી જે અનુરાગ ઉપરાજિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી સૈનિકોની સેનાવડે જેણે રાજ્યલક્ષમી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિન્નરાખનાર પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમમાહેશ્વર શ્રીગુહસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણારવિંદને પ્રમીને પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખડુંગયુક્ત કર વડે શત્રુઓની મદમસ્ત ગજધાને ભેદીને જેણે પિતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરભુનખને કિરણસમહ રવપ્રભાવથી નમાવેલા શત્રુઓના ચડામણિની પ્રભાથી મિશ્ર થતા હતા; સકલ સૃતિએાએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલન વડે પ્રજાનું હદય રેજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બૃહસ્પતિ, અને કુબેરથી ચઢીયાત હત; શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યફલને તૃણની માફક ફેંકી દેતે; માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન, મિત્ર, અને નેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલનો, જાણે કે દેહધારી, આનઇ હતે.
પં. ૭ એને પુત્ર પરમ માહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધોઈ નાખ્યાં હતાં જેની સંપત્તિ હજારે પ્રણથીને આધાર બનતી; જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણ એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુર્ધને આશ્ચર્ય પમાડ્યા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધમેદાનેનું જે અનુપાલન કરતે પ્રજાને નાશ કરનાર ઉપદ્રવને જે હરતે લક્ષ્મી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતે હણાયેલા શપક્ષની લક્ષ્મીને પરિભેગા કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિકમ વડે જેણે નિર્મલ રાજલક્ષમી પ્રાપ્ત કરી હતી.
૫. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતું, જે એના ( પિતાના ) પાદનું અનુધ્યાન કરતા, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણોના સમુદયથી સમગ્ર દિગ્યડિલને વ્યાપ્ત કરી દીધું હતું, એ લડાઈમાં મેળવેલા વિજયથી શેભતી તરવારની દ્યુતિ વડે વિશેષ ઉજવેલ બનેલા પોતાના સ્કંધપીઠ ઉપર જે ડેટા અને રથને જબરે ભાર ઉચકી રહેતો સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમય બનેલી હતી છતાં ગમે તેવા એક ન્હાના સુભાષિત વડે પણ જે સહેલાઈથી સંતુષ્ટ કરી શકાતે; સમગ્ર લાકથી પણ તાગ ને પામી શકાય એવો ઊંડા હૃદયવાળ હોવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યકિત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હો; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રુંધાઈ ગયેલા માર્ગનું વિશાધન કરીને જેણે ઉકષ્ટ કીર્તિ મેળવી હતી. ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું.
૫. ૧૪. તેનો ભાઈ પરમ માહેશ્વર શ્રી ખરડ હતું, જે તેના ચરણનું દયાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પિતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલક્ષમીને જે પરમભદ્ર ધરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધરી રાખતે છતાં જેની સત્વસંપત્તિને થાકને કે સુખવાંછાનું વિત નડયું નહોતું; પિતાની પ્રભાવ સંપ વડે વશ કરેલા સે સે નુપતિઓનાં શિરારતનની કાતિ જેના પાદપીડને આલિંગી રહી હતી છતાં જેની વૃત્તિને અન્યની અવજ્ઞા કે અભિમાન
"Aho Shrut Gyanam"