SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પ્રસન્નચંદ્ર વિનયથી પૂછયું “ગુરુદેવ, આ સમ્પર્વ આત્મામાં કેવી રીતે પ્રગટ થાય?' રાજન, વિશિષ્ટ પ્રકારના કર્મક્ષયોપશમથી સમ્પર્વનો ગુણ પ્રગટ થાય છે. તે છતાં એનાં કેટલાંક આલંબન છે. ૧. વીતરાગ પરમાત્માનાં દર્શન, ૨. નિગ્રંથ સાધુપુરુષોનાં દર્શન. ૩. અહિંસામૂલક ધર્મનું શ્રવણ, ૪. ગુણાધિક પુરુષોના પરિચય, પ. ગુણોના એકાંતે પક્ષપાત, ૬. અનુકંપાની શ્રેષ્ઠ ભાવના, અને ૭. તથા ભવ્યત્વના પરિપાકથી સમ્યક્ત્વનો આત્મગુણ પ્રગટ થાય છે આત્મામાં. રાજાના રાજપુરોહિત ઇન્દ્રશર્માએ કહ્યું: “હે ભગવંત, આપે કહ્યું તે યથાર્થ જ છે. મારો પ્રશ્ન એ છે કે મોક્ષ એકાંતે સુખસ્વરૂપ છે, અને એને પામવાનું સંયમઅનુષ્ઠાન એકાંતે દુઃખરૂપ છે. તો એ કેવી રીતે શક્ય બને?” ‘મહાનુભાવ,' મહાત્મા સમરાદિત્યે ઇન્દ્રશર્માના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : નીરોગિતા સુખરૂપ છે, એ પામવાનો ઉપાય જે ચિકિત્સા સેવન છે, તે દુઃખરૂપ હોય છે. જેમ કષ્ટમય ચિકિત્સાથી સુખમય આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ કષ્ટમય સંયમ-અનુષ્ઠાનથી પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાનુભાવ, જોકે સંયમ-અનુષ્ઠાન પરમાર્થથી દુઃખરૂપ જ નથી કારણ કે પરમ શુભ પરિણામથી અને વિશુદ્ધ લશ્યાના સામર્થ્યથી સંયમ-આરાધના, સુખરૂપ લાગતી હોય છે. नवि अस्थि रायरायस्स तं सुहं नेव देवरायस्स । जं सुहमिहेव साहुस्स लोयब्वावार रहियस्स ।। જે સુખ રાજરાજેશ્વરને કે દેવરાજ ઇન્દ્રને નથી હોતું તે સુખ, લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધુપુરુષોને હોય છે. એટલે પરમ સુખમય મોક્ષની પ્રાપ્તિનો ઉપાય પણ સુખમય સંયમ-અનુષ્ઠાન જ છે. હે સૌમ્ય, સંયમ-અનુષ્ઠાનમાં ક્રમશઃ સાધુઓની તેજલેશ્યા કેવી વધતી જાય છે, તે અંગે સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપમાઓ આપીને, સમજાવ્યું છે, તે હું તને સંભળાવું છું: એક મહિનાનું સંયમ અનુષ્ઠાન કરનાર શ્રમણ, વાનમંતર દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. કે બે મહિનાનું સંયમ અનુષ્ઠાન આરાધનાર શ્રમણ, ભવનવાસી (અસુરેન્દ્ર સિવાય) દેવોની સુખલેશ્યાને ઉલ્લંઘી જાય છે. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧૧ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy