SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિધિપૂર્વક આરાધના કરીએ...’ કુમારે કહ્યું: ‘દેવી, સારી ભાવના છે. હું પણ તારી સાથે આ આરાધના કરીશ... અત્યારે અવકાશ છે...’ રત્નવતીએ સાધ્વીજીને કહ્યું: ‘ભગવતી, જ્યાં સુધી અમારી આરાધના ચાલે, આપે અહીં જ સ્થિરતા કરવી પડશે. આપના સાન્નિધ્ય વિના આવી મંત્ર-આરાધના ના થઈ શકે!’ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વીજી વિચારમાં પડી ગયાં. ‘સો દિવસની આ આરાધના છે... અમારે સો દિવસ અહીં રહેવું પડે! યુવરાજ અને યુવરાજ્ઞી આવી મહાન ધર્મઆરાધના કરવા તત્પર બન્યાં છે... તો રોકાવું આવશ્યક છે... પરંતુ અત્યારે નહીં રોકાવાય. જો વર્ષાવાસ અહીં કરીએ તો, શાન્તિથી આરાધના કરાવી શકાય...' સાધ્વીજીએ કહ્યું: ‘રત્નવતી, તમારી ભાવના ઉત્તમ છે. લાખ નવકારમંત્રની વિધિસહિત આરાધના શ્રેષ્ઠ આરાધના છે. પરંતુ એ આરાધનાનો કાળ સો દિવસનો છે! એટલે આ માટે અમારે અહીં વર્ષાકાળ વ્યતીત કરવો જોઈએ. ‘આપ અહીં જ વર્ષોવાસ રહેવાની કૃપા કરો...' કુમારે કહ્યું. ‘આપના અહીં રહેવાથી અમારો આત્મા પ્રમાદી નહીં બને... અમારી આરાધના અપ્રમત્તભાવે થશે! આપની સંયમધર્મની આરાધના પણ સારી થશે... હે ભગવતી, એ લાખ નવકારમંત્રના જાપની આરાધનાનો વિધિ જણાવવાની કૃપા કરશો?’ સાધ્વીજીએ કહ્યું: 'કુમાર, આ આરાધનાનો સમય ૧૦૦ દિવસનો હોય છે. * રોજ એક હજાર નવકારમંત્રનો જાપ કરવાનો. * પદ્માસને, સિદ્ધાસને કે સુખાસને બેસવાનું. * નાસિકના અગ્ર ભાગ પર દૃષ્ટિ રાખવાની અથવા ભગવાન પર. * આ જાપ પરમાત્માની પ્રતિમા સમક્ષ કરવાનો. * એક નવકાર ગણીને એક સુગંધી-શ્વેત પુષ્પ પરમાત્માને ચઢાવવાનું, સાથે એક સોપારી પણ ચઢાવવાની, શ્રી સમરાદિત્ય મહાકા * પ્રતિદિન સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું. * પ્રતિદિન સવારે, મધ્યાહ્ને અને સાંજે દેવવંદન કરવાનું. * રોજ એકાસણાનું વ્રત કરવાનું. તેમાં માત્ર ક્ષીરાજ્ઞનું જ ભોજન કરવાનું. * પ્રતિદિન પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની. * ૧૦૦ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. * ૧૦૦ દિવસ ભૂમિશયન ક૨વાનું. શક્ય એટલું મૌન પાળવાનું! For Private And Personal Use Only ૧૨૯૧
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy