SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ભગવતી, સેંકડો જન્મોમાં પણ દુર્લભ, એવાં આપનાં દર્શન થયાં મને.. દેવીને તો આપનો શુભ સમાગમ મળ્યો છે. એ તો કૃતકૃત્ય બની ગઈ છે..' મહારાજ કુમાર, જે આત્માઓ “કુશલાનુબંધી' પુણ્યદયવાળા હોય છે, તેમને કિંઈ પણ અસાધ્ય નથી હોતું! આ કુશલાનુબંધી પુણ્યથી જીવો આ સંસારમાં સુખોની પરંપરા ભોગવે છે. અને સુખ ભોગવતાં ભોગવતાં છેવટે મુક્તિનાં સુખ પામે છે.” કુમારે કહ્યું: “હે ભગવતી, આપે કહ્યું તે સાચું છે. કુશલાનુબંધી પુણ્યના ઉદયથી મોક્ષાનુકૂળ ભાવો પ્રગટ થાય છે. મોક્ષાનુકૂળ ભાવોથી જ પુણ્ય-પાપ-કર્મોનો ક્ષય થાય છે!' રત્નાવતીએ પૂછ્યું: “હે ભગવતી, આ કુશલાનુબંધી પુણ્ય' એટલે કેવું પુણ્ય? તે મને ના સમજાયું..' હે ભદ્ર, જે પુણ્યકર્મ ઉદયમાં આવે, સાથે સાથે શુભ વિચારો આવે... શુભ કાર્યો કરવાના ભાવ જાગે, તે કુશલાનુબંધી પુણ્ય કહેવાય. જે કુશલાનુબંધી પુણ્ય ન હોય, તે ઉદયમાં આવે, એની સાથે જ પાપવિચારો અને પાપપ્રવૃત્તિ શરૂ થઈ જાય! હે પૂજ્યા, અમારું પુણ્ય કેવું કહેવાય? તમારો કુશલાનુબંધી પુણ્યોદય છે! તમે રાજમહેલોના જીવ છો, છતાં તમને ધર્મ ગમે છે, ધર્મગુરુ ગમે છે, અને પરમાત્મા ગમે છે! તમને વ્રતો અને નિયમો ગમે છે! એક બાજુ મોટો પુણ્યોદય છે, બીજી બાજુ મોટો ધર્મ તમને ગમે છે!” રત્નાવતીએ કુમારને કહ્યું: “નાથ, મેં શ્રાવકધર્મનાં બાર વ્રત લીધા છે!' કુમારે કહ્યું: ‘દેવી, મેં પણ વિજયધર્મ આચાર્યદેવ પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો છે! મારી સાથે વિગ્રહે પણ વ્રતો લીધાં છે... અરે હા, વિગ્રહને પણ સાધ્વીજીનાં દર્શન કરવાં છે. જ્યારે પિતાજીએ વિગ્રહને કહ્યું કે, “આ સાધ્વીજી તો પૂર્વાવસ્થામાં કોશલનરેશનાં પટ્ટરાણી હતાં. છતાં બંનેએ દીક્ષા લીધી છે. ત્યારે વિગ્રહની આંખો પહોળી થઈ ગઈ. તે અહોભાવથી બોલી ઊઠ્યો હતો... અહો, ધન્ય છે તેમને રાજપાટ ત્યજીને, કઠોર સાધુજીવન એમણે ગ્રહણ કર્યું! હું એમનાં દર્શન કરી, કૃતાર્થ થઈશ...' “નાથ, આપ જ એને અહીં લઈ આવજો...' રત્નાવતી બોલી. સાધ્વીજીએ કહ્યું: ‘તમે બંને વ્રતધારી બન્યાં છો. વ્રતોનું દઢતાથી પાલન કરજો. આ મનુષ્ય જીવનની એમાં જ સાર્થકતા છે.” હે ભગવતી, મનના ભાવો સ્થિર નથી રહેતા... સ્થિર રાખવા શું કરું?” ‘કુમાર, આ પ્રશ્ન માત્ર તમારો જ નથી, લગભગ બધા સાધકજીવોનો છે. એનો એક શ્રેષ્ઠ ઉપાય છે.... શ્રી નવકારમંત્રનું સ્મરણ કરતા રહેવું.” હે ભગવતી, અમારે વિધિપૂર્વક નવકારમંત્રની આરાધના કરવી છે. હું આર્યપુત્રની જ રાહ જોતી હતી. જો એમની ઇચ્છા થાય તો અમે બંને લાખ નવકાર મંત્રની ૧0 ભાગ-૩ ૪ ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy