SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વીએ ઉપદેશ પૂર્ણ કર્યો એટલે વિનયપૂર્વક તેં પૂછુયું: “હે ભગવતી, સર્વપ્રથમ અમારે કયો ધર્મ કરવો જોઈએ?” “સર્વપ્રથમ તમારે માંસભક્ષણ છોડી દેવું જોઈએ અને મદ્યપાનનો ત્યાગ કરવો જોઈએ.' “હે ભગવતી, આજથી જ અમે મઘ-માંસનો ત્યાગ કરીએ છીએ.' “તમને પ્રતિજ્ઞા આપું છું...” સાધ્વીએ તમને બંનેને મઘ-માંસનો ત્યાગ કરાવ્યો. તમે ઊભાં થઈ. ત્યાં રહેલાં બધાં જ સાધ્વીજીને વંદના કરી, પછી જિનાલયમાં ગયાં. હર્ષવિભોર બની પુનઃ જિનેશ્વરને વંદના કરી. ઘરે જવા માટે તમે તૈયાર થયા. મુખ્ય સાધ્વીને વંદના કરી - હવે અમે અમારા ઘરે જઈએ છીએ. અમને રજા આપો.' સાધ્વીજીએ કહ્યું: ‘હવે તમારે બંનેએ પ્રતિદિન અહીં આવીને, સર્વજ્ઞભાષિત ધર્મનું શ્રવણ કરવું જોઈએ.” ' મેં કહ્યું: “અમે બનતી શક્યતાએ જરૂર આવીશું, અમને રોજ અહીં આવવું ગમશે!' હે રાજન, તમે બંને પતિ-પની પ્રતિદિન જિનમંદિરે જવા લાગ્યાં અને સાધ્વીજીના મુખે ધર્મોપદેશ સાંભળવા માંડ્યાં. તમારા હૃદયમાં જિનભક્તિનો ભાવ વિકિસત થયો, સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ થઈ.. વિષયસુખોની આસક્તિ છૂટી ગઈ, એ સુખો પ્રત્યે અણગમો થઈ ગયો. જે પ્રમાણે સાધ્વીએ વ્રતો સમજાવ્યાં, તે રીતે સમજીને સ્વીકારતાં ગયાં. તમે ઉત્કૃષ્ટ કોટિનાં શ્રાવક-શ્રાવિકા બની ગયાં. તમે શ્રાવકધર્મનું સુંદર પાલન કર્યું. આયુષ્યકર્મ પૂર્ણ થયું. મૃત્યુ થયું. તમે બંને પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયા. અસંખ્ય વર્ષ સુધી તમે બંનેએ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવ્યાં. આખર ત્યાં પણ આયુષ્યનું બંધન તો છે જ! આયુષ્ય પૂર્ણ થયું.. તું મિથિલાના રાજાને ત્યાં જન્મ્યો. અને આ તારી પ્રિય રાણી ચંદ્રધામ પણ, દેવલોકથી આવીને અહીં, તારી રાણી બની. રાજન, ભીલના ભવમાં તે તીવ્ર પાપકર્મ બાંધ્યું હતું અને આ તારી પત્નીએ અનુમોદન કર્યું હતું. તેના મોટા ભાગનાં કડવા ફળ નરકમાં ભોગવ્યાં તમે બંનેએ. જે કર્મ બાકી હતાં તે તમે પૂર્વના દરિદ્ર મનુષ્યભવમાં કેટલાંક ભોગવ્યા, તે પછી પણ જે પાપકર્મ બાકી રહી ગયેલું હતું, તે તમે આ ભવમાં ભોગવી લીધું છે. હે મિથિલાપતિ, પાપકર્મના આવા વિપાકો, જાણીને હવે તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ફરી આવાં દુઃખો ભોગવવાનો સમય ના આવે.' આચાર્યદેવ વિજયધર્મે રાજકુમાર ગુણચંદ્રને સ્વવૃત્તાંત કહેતાં કહ્યું: “કુમાર, તીર્થકર પરમાત્માના શ્રીમુખે મારા પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળીને, મારી મોહદશા દૂર થઈ ૧ર૪ ભાગ-૩ + ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy