SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિધાન મળી ગયું છે. તેઓ ભોજન કરી લે, પછી તમે તેમની સાથે જઈને, વિધ્યના જંગલમાંથી સુખરૂપ એમને રાજમાર્ગ પર મૂકી આવો...' શ્રીમતીએ ગુફામાં સર્વ સાધુઓને સ્થાન આપ્યું. તું સાધુઓના માટે કોમળ ફળ લઈ આવ્યો. કંદ અને મૂળ પણ લઈ આવ્યો અને સાધુઓને આપવા લાગ્યો. સાધુઓના અગ્રણી ગીતાર્થ સાધુએ કહ્યું: “હે મહાનુભાવ, આ ફળો, કંદ વગેરે સચિત્ત (જીવત્વવાળાં) હોવાથી અમે એ ગ્રહણ કરી ના શકીએ. તીર્થકરોએ શાસ્ત્રોમાં સચિત્ત ફળો વગેરે વાપરવાન-ખાવાનો નિષેધ કરેલો છે.” સાધુઓની વાત સાંભળીને, તેં શ્રીમતી સામે જોયું. શ્રીમતીએ સાધુઓને કહ્યું: ‘હે મહાત્માઓ, તો પણ તમારે કંઈ પણ ગ્રહણ કરીને, અમારા પર ઉપકાર તો કરવો જ પડશે! નહીંતર અમને ઘણું દુઃખ થશે..' - સાધુઓએ તમારા બંનેના શ્રદ્ધાસભર ભાવો જાણ્યા. તમારી શ્રદ્ધાને દઢ કરવા માટે, તેમણે તેમને કહ્યું: “મહાનુભાવ, તમારી ઇચ્છા જ છે તો લાંબા સમયથી તમે રાખી મૂકેલાં ફળ હોય, જેના રૂપ-રસ બદલાઈ ગયા હોય... તેવાં ફળો આપો.' તું બીજી ગુફામાં ગયો અને નિર્જીવ ફળ વગેરે લાવીને, તે મુનિઓને ભિક્ષા આપી. તેઓએ આહાર કર્યો. તે અચિત્ત પાણી પણ લાવી આપ્યું. સૂર્યના પ્રખર તાપથી નાના તળાવનું પાણી અચિત્ત થઈ ગયેલું હતું. ત્યાર બાદ તું અને શ્રીમતી સાધુઓનાં ચરણોમાં વિનયથી બેઠાં, સાધુઓએ “આ પતિ-પત્ની ભલે ભીલ છે, ભલે પાપકર્મના ઉદયથી શિકાર કરીને, ગુજરાન ચલાવે છે, પરંતુ સરળ છે, ગુરુભક્તિવાળા છે અને એમનાં કર્મો ઘણાં ઓછાં થઈ ગયેલાં છે...” એમ સમજીને તમને જિનધર્મનો ઉપદેશ આપ્યો. મીઠી અને મધુર ભાષામાં અપાયેલો ઉપદેશ તમને બંનેને ગમ્યો. તમે એ ધર્મ ગ્રહણ કર્યો, સાધુઓ આનંદિત થયા. તેમણે શાશ્વત સુખના કારણભૂત શ્રી નવકારમંત્ર’ તમને આપ્યો, ભક્તિપૂર્ણ હૃદયથી, વિનયપૂર્વક તમે એ મહામંત્રને ગ્રહણ કર્યો. સાધુઓએ એ મંત્ર તમારી પાસે બોલાવડાવ્યો, અને યાદ કરાવી દીધો. તમને બંનેને એ મહામંત્ર યાદ થઈ ગયો. મુનિવરોએ એ મહામંત્રનો પ્રભાવ કહી સંભળાવ્યો: “આ મહામંત્રથી તમારા દુઃખ દૂર થશે. તમને ઉત્તમ સુખ પ્રાપ્ત થશે. તમારી યશ ફેલાશે... અને તમે ભવસાગર તરી જશોઆ લોક અને પરલોકનાં શ્રેષ્ઠ સુખો તમને મળશે.' છે “હે મહાનુભાવ, રોજ આ મંત્રને ૧૦૮ વાર જપવાથી કોઈ દુષ્ટ દેવ-દેવી તમને હેરાન નહીં કરે.” શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy