________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
સજાએ સુવદનને પૂછયું : “અરે સાર્થવાહ, તારી પત્ની ક્યાં છે?” ‘ભાગી ગઈ.' તું કેમ ભાગતો હતો?” ભયથી...' શાનો ભય? ભય અપરાધીને હોય. તે એવો કોઈ અપરાધ કર્યો છે? હાજી, મેં એક મોટો અપરાધ કર્યો છે...' કેવો અપરાધ કર્યો છે?” પતિદ્રોહી. પાપી સ્ત્રીને મારી પાસે રાખવાનો...”
હે સાર્થવાહ, હું તને અભયદાન આપું છું. તું જે વૃત્તાંત હોય તે કહે. શું તે જાણે છે આ મુનિરાજ અને તારી એ ભાગી ગયેલી સ્ત્રીનો સંબંધ?”
મહારાજા, હું આ મુનિરાજને જાણું છું. પરંતુ બધો વૃત્તાંત કહી શકાય એમ નથી...' મુનિરાજને જોઈને સુવદને પ્રણામ કર્યા. તેની આંખો આંસુભીની થઈ ગઈ.
જો ભાઈ, આ સંસારમાં કોઈ પણ વાત અશક્ય નથી હોતી. બધું બની શકે છે આ સંસારમાં. માટે જે કોઈ વાત, સારી કે નરસી બની હોય, તે સંકોચ રાખ્યા વિના કહે.'
બે ક્ષણ સુવદને વિચાર કર્યો. તેણે કહ્યું : “મહારાજા, જો આપને સમગ્ર વૃત્તાંત સાંભળવો જ છે, તો આપ એકાંતમાં પધારો.”
રાજાએ ત્યાં ઊભેલા સર્વને દૂર ચાલ્યા જવાનો સંકેત કર્યો. સહુ ચાલ્યા ગયા. સુવદને પશ્ચાત્તાપથી બળતા હૃદયે કહ્યું :
“મહારાજા, મેં ઘણાં પાપ આચર્યા છે. હું ખરેખર મનુષ્ય નથી... પશુ છું... શ્વાન છું. મહાપુરુષ તો આ મુનિ ભગવંત છે. તેઓ કૃતજ્ઞ છે. પરલોકદર્શી છે. પરોપકારપરાયણ છે, પ્રતિજ્ઞાપાલનમાં તત્પર છે. સર્વ પાપોના ત્યાગી છે... હું એમને જાણું છું. ઘણા સમયથી જાણું છું. આ સાર્થવાહપુત્ર હતા. મને પહેલ-વહેલો પરિચય સુવર્ણદ્વીપ ઉપર થયો હતો. અને છેલ્લે અમે દેવપુરમાં છૂટા પડ્યા...”
સુવદને કોઈ પણ વાત છુપાવ્યા વિના, બધી જ વાતો કહી દીધી. લક્ષ્મીનો વૃત્તાંત સાંભળીને રાજાને લક્ષ્મી પ્રત્યે ઘોર ઘૃણા થઈ આવી. રાજાએ સુવદનને કહ્યું :
સાર્થવાહ, હવે જો તું તારું ભલું ઈચ્છતો હોય તો એ દુષ્ટાને શોધવા જવાની શ્રી સમરાદિત્ય મહાકથા.
CGU
For Private And Personal Use Only