________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. સાજો થયા પછી પ્રતિજ્ઞા તોડે છે. દીક્ષાનું મહાવ્રત તોડે છે..... હવે આને સાજો કરવાની જરૂર નથી.”
ત્રીજા સ્વજને કહ્યું : “જુઓ ભાઈ, આ વખતે આપણે છેલ્લો પ્રયત્ન કરી લઈએ. વૈદ્યને ગમે ત્યાંથી શોધી લાવીએ. તેમને દીનતાભરી પ્રાર્થના કરીએ. તેમને કહીએ કે : 'અમે છેલ્લી વાર આવ્યા છીએ.... હવે જો અહંદત્ત દીક્ષા તોડીને ગૃહવાસમાં આવશે તો અમે એના મોં પર ઘૂંકીશુ... પાછો જો એ રોગી બનશે.... તો મરવા દઈશું... અમે આપને કષ્ટ આપવા નહીં આવીએ, આપની પાસે.”
એક સ્વજને કહ્યું : “પહેલા આપણે એની ચારે પત્નીઓને કહીએ કે હવે પછી દીક્ષા છોડીને એ ઘરે આવે તો એને ઘરમાં પ્રવેશવા ના દેવો. એની સામે પણ ના જોવું... જો સ્ત્રીઓ આ વાત કબૂલ રાખે તો જ આપણે વૈદ્યને તેડી લાવવાનો પ્રયત્ન કરીએ.”
સ્વજનો, અહંદુદત્તની પત્નીઓને મળ્યા. તેમને વાત કરી. તે ચારે સ્ત્રીઓ સંમત થઈ ગઈ. મોટી પત્નીએ કહ્યું : “અમે ઘર બંધ કરીને, અમે અમારા પિતૃગૃહે ચાલ્યા જઈએ છીએ, તમે વૈદ્યને બોલાવી લાવી, એમનો ઔષધોપચાર કરાવી... દીક્ષા અપાવી દેજો.”
સ્વજનો વૈદ્યરાજને શોધવા નીકળ્યાં. તેમને બહું ભટકવું ન પડ્યું. તપોવનમાં જ વૈદ્યરાજ મળી ગયા. સ્વજનોએ વૈદ્યરાજને પ્રણામ કર્યા. વૈદ્યરાજે પૂછ્યું : “કેમ પાછા આવ્યાં? શું અહંદ કંઈ અયોગ્ય આચરણ કર્યું છે?'
હા જી, આપને કહેતાં અમને શરમ આવે છે... એણે અમારા ઉત્તમ કુળને કલંકિત કર્યું છે. એ વિષયાંધ યુવાને દીક્ષાનો ત્યાગ કર્યો... ગૃહવાસમાં આવ્યો.... થોડા દિવસ મોજમજા કરી... અને અચાનક અતિ ભયાનક રોગોથી ઘેરાઈ ગયો છે. અસહ્ય વેદના ભોગવે છે. જો આપ શીધ્ર નહીં પધારો તો એ કમોતે મરી જશે. જોકે એનાં ખોટાં આચરણોનાં ફળરૂપે એ મરવો જ જોઈએ. રિબાઈરિબાઈને મરવો જોઈએ. છતાં... આ એક છેલ્લો પ્રયત્ન કરી લો આપ... આપ દયાળુ છો, કરુણાવંત છો...”
ચાલો, હું આવું છું.' ખભે ત્રણ ઝોળીઓ લટકાવીને વૈદ્યરાજ વાહનમાં બેઠા. તેઓ કૌશામ્બી આવ્યા.. અહંદુદતની પાસે ગયા. અહંદૂદત્ત વૈદ્યને જોઈને કરુણ સ્વરે રોવા માંડ્યો.
હે શ્રેષ્ઠીપુત્ર, મેં તારા પર વારંવાર વિશ્વાસ મૂક્યો... કોઈ જ સ્વાર્થ વિના તને સારો કર્યો. અને તેં વિશ્વાસઘાત કર્યો... ખેર, આજ દિન સુધીના તારા બધા અપરાધની ક્ષમા આપું છું, પણ હવે તો સારા થયા પછી તારે મારી સાથે આવવું પડશે... અને જો માર્ગમાંથી મને છોડીને ભાગી ગયો... તો તારું મોત નિશ્ચિત છે. ૯૭૮
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only