________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ ધરણ સામે જોયું. ધરણે કહ્યું : “મહારાજા, મારી વાતમાં કોઈ જ ફેરફાર નથી, આ સંપુટને મંગાવીને આપ અંદર જુઓ...'
સુવદનના મુખ પર કાજળ લેપાઈ ગયું. ટોપશેઠ રાજી થયા. તરત જ સોનીને બોલાવી સંપુટને તોડાવ્યો. રાજાએ બંને ઈટ હાથમાં લઈને જોઈ... બંને ઈટો પર “ધરણ” નામ કોતરાયેલું હતું,
રાજા કોધથી ધમધમી ઊઠ્યો. ટોપશેઠ પણ રોષે ભરાયા. રાજાએ કોટવાલને આજ્ઞા કરી : “આ ચીનના શાહુકારને શૂળી પર ચઢાવી દો. આ મહાચોર છે. દુષ્ટ છે, અધમ છે. અને આ લક્ષ્મીના નાક-કાન કાપી, કાળી મેશથી રંગી, ગર્દભ પર બેસાડી, મારા રાજ્યમાંથી હદપાર કરો. વહાણ અને વહાણમાં રહેલું બધું જ ધન આ મહાનુભાવ ધરણને આપી દો.’
રાજાએ ધરણને પોતાની પાસે બેસાડીને કહ્યું : “હે વત્સ, કહે, બીજું તારું શું પ્રિય કરું? તું માંગે તે આપું.”
ધરણ તો દયાનો સાગર હતો. અપરાધી ઉપર પણ કરુણા વરસાવનાર હતો. તેણે રાજાને કહ્યું :
હે દેવ, મારે આ સોનાની જરૂર નથી, અને આપ આ સુવદનને અભયદાન આપવાની કૃપા કરો.”
ધરણ, તું આ યોગ્ય કરતો નથી. આ દુષ્ટ પર દયા ના કરાય. એને તો સજા જ થવી જોઈએ કે જેથી ફરી વાર આવા કુકર્મ ના કરે.”
મહારાજા, હું નથી ઈચ્છતો કે મારા નિમિત્તે એના પ્રાણ જાય... એ એના દેશમાં ચાલ્યો જશે..'
ધરણ, મેં તને વચન આપ્યું છે એટલે બીજું શું કહું? તારી ઈચ્છા મુજબ તું કરી શકે છે. ક્ષમા આપી શકે છે અને સજા પણ કરી શકે છે...” ‘આપે મારા પર મોટો અનુગ્રહ કર્યો. ધરણ, પહેલા તું તારું ધન ગ્રહણ કરી લે.” “હે દેવ, આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું.'
રાજા, મહાજન, સુવદન, ટોપશેઠ વગેરેની સાથે ધરણ સમુદ્રકિનારે ગયો. મહાજને વહાણમાં રહેલા સુવર્ણની ઈંટોના સંપુટ ગણીને, ધરણને સોંપી દીધા. ધરણે એ ધન ટોપશેઠને સોંપ્યું. શેઠે ગાડાં ભરાવીને, સંપુટો હવેલીમાં પહોંચાડી દીધા.
મહારાજા, મહાજન વગેરે ચાલ્યા ગયા. ટોપશેઠ અને કોટવાલ ધરણ સાથે રહ્યા. ધરણે સુવદનને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
- ૧૫
For Private And Personal Use Only