________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી અંબિકાનું આશ્વાસન
શ્રી હરિભદ્રસૂરિજીના પ્રજ્ઞાવંત બે શિષ્યો હંસ અને પરમહંસ બૌદ્ધોના હાથે માર્યા ગયા. તે પછી હરિભદ્રસૂરિજીએ તીવ્ર ક્રોધમાં બૌદ્ધોને માર્યા. ગુરુદેવે એમને પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરવાનું કહ્યું. હરિભદ્રસૂરિજીએ તપ કરીને શરીરને કૃશ કરી દીધું, પરંતુ પ્રિય શિષ્યોના વિયોગનો સંતાપ ઓછો ન થયો.
દેવી અંબિકા તેમના પર પ્રસન્ન હતાં. તેઓએ પ્રગટ થઈને રિભદ્રસૂરિજીને કહ્યું : ‘તમારા જેવા બહુશ્રુત આચાર્યે આમ શોક કરવો ઉચિત નથી.’
હરિભદ્રસૂરિજીએ કહ્યું : 'હે માતા, મારે કોઈ શિષ્ય નથી, તેથી મને દુઃખ થાય છે. શું નિર્મળ ગુરુકુળનો મારાથી અંત આવી જશે?'
દેવી અંબિકાએ કહ્યું : ‘હે સૂરિદેવ, તમારા ભાગ્યમાં કુળવૃદ્ધિ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવાનું છે જ નહીં. તમારાં શાસ્ત્રો જ તમારી સંતતિરૂપ છે.’
દેવી અદશ્ય થઈ ગયાં.
આચાર્યદેવ સ્વસ્થ બની ગયા.
તેમણે સર્વપ્રથમ ‘સમરાદિત્ય-ચરિત્રની રચના કરી. તેઓએ કુલ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી.
For Private And Personal Use Only