SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘રાજકુમાર... ગુણસેન...? મહાતપસ્વી, એ ગુણન આપનો કલ્યાણમિત્ર કેવી રીતે બન્યો અને આવી ઘોર તપશ્ચર્યામાં તથા સંન્યાસજીવનમાં નિમિત્ત કેવી રીતે બન્યો?' હજુ રાજા અગ્લિશર્માને ઓળખી શક્યા નથી. ઓળખવાનો મનમાં પ્રયત્ન કરે છે. વિસ્મૃતિની ખીણમાંથી વર્ષોની.. લાખો વર્ષોની માટી ઉલેચે છે. ત્યાં અનિશર્માએ ઈપ સ્મિત સાથે કહ્યું : રાજન, જે ઉત્તમ-શ્રેષ્ઠ પુરષો હોય છે તેઓ સ્વયં અંતઃપ્રેરણાથી ધર્મ પામે છે. મધ્યમ કક્ષાના પુરુષો, બીજા કોઈની પ્રેરણાથી ધર્મતત્ત્વને પામે છે અને અધમ પ્રકૃતિના પુષ્પો બીજાઓની પ્રેરણા મળવા છતાં ધર્મ પામતા નથી, તેમને ધર્મ ગમતો નથી. રાજેશ્વર, આ સંસાર કારાવાસ છે. સંસાર કારાવાસનાં અપાર દુઃખોમાંથી મુક્ત કરવા માટે કોઈપણ મનુષ્ય, કોઈપણ ઉપાયથી ધર્મ તરફ પ્રેરિત કરે તે ખરેખર હિતકારી હોય છે, એવા હિતકારી પુરુષને હું કલ્યાણમિત્ર માનું છું. મહારાજકુમાર ગુણસેનને હું આ રીતે કલ્યાણમિત્ર માનું છું. મારી કુમાર-અવસ્થામાં એણે મારું ઘોર ઉત્પીડન ન કર્યું હોત તો હું તાપસધર્મ ન પામી શકત.... અને આત્માને નિર્મળ કરનારી તપશ્ચર્યા ના કરી શકત....' રાજાની આંખો બંધ હતી.. વિસ્મૃતિની ઊંડી ખીણમાં દટાયેલી એક વિકૃત... કદરૂપ આકૃતિ ધીરે ધીરે ઊભી થઈ. ત્રિકોણ મસ્તક, ગળ માંજરી આંખો.... સાવ ચપટું નાક, છે કાણાં જેવા કાન... કે લાંબા દાંત... જ વાંકા-ટૂંકા હાથ. જ લાંબી-વાંકી ડોક... ટૂંકી છાતી જ લાંબું-વાંકું પેટ કે જાડી. ટૂંકી સાથળ જ પહોળા વાંકા પગ.. પીળા ઊભા વાળ.. મુખ પર ભય... ત્રાસ... અને દીનતા. આંખોમાં કાકલૂદીભરી દયાની યાચના... શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy