SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પછી જે સારું મુહૂર્ત આવે તે દિવસે તારો રાજ્યાભિષેક કરવાનો છે!” આટલી ઉતાવળ શા માટે મા?' “કારણ કે તારા પિતાજીનું મન આ સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. તેઓ શીધ્રાતિશીવ્ર અરણ્યવાસ સ્વીકારવા ઇચ્છે છે...” કુમાર ગુણસેન રડી પડ્યો. માતાના ખોળામાં મસ્તક છુપાવી તે રુદન કરવા લાગ્યો. વત્સ, શા માટે રડે છે? જીવનની ઉત્તરાવસ્થા આત્મકલ્યાણ માટે જ હોય છે. તારે પણ ભવિષ્યમાં આ જ માર્ગ લેવાનો છે.' “સાચી વાત છે મા, પરંતુ ચાર-પાંચ વર્ષનો વિલંબ કરી શકાય એમ છે.' “બેટા, વૈરાગ્ય વિલંબને સહન નથી કરતો...” “પરંતુ મા, તું તો મારી સાથે રહીશ ને?” “વત્સ, તારા પિતાજી સાથે મારે વાત થઈ ગઈ છે!' “શી વાત?” હું પણ એમની સાથે જ અરણ્યવાસમાં જઈશ' “પછી?” તારે રાજા બનીને પ્રજાનું પાલન કરવાનું ધર્મને જીવનમાં જીવવાનો. સાધુપુરુષોનો આદર કરવાનો... પરમાત્માને હૃદયમાં રાખવાના. પાપનો ભય રાખવાનો...” એક પ્રહર સુધી પુત્ર અને માતા વાર્તાલાપ કરતાં રહ્યાં. ૦ ૦ ૦. રાજકુમાર ગુણસેનનાં વસંતસેના સાથે લગ્ન થઈ ગયાં. રાજકુમારના રાજ્યાભિષેકની ઘોષણા નગરમાં ને રાજ્યમાં થઈ ગઈ. રાજ્યાભિષેક-મહોત્સવના પ્રસંગે મહારાજાએ સ્વયં અરણ્યવાસ સ્વીકારવાની જાહેરાત કરી દીધી. એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં દર્દ લઈને પ્રજાજનો વીખરાયા. એક દિવસે રાજ્યનાં લાખો સ્ત્રી-પુરુષોએ રાજા-રાણીને વિદાય આપી - રડતા હૃદયે ને રડતી આંખોએ. રાજા-રાણી તપોવનમાં ચાલ્યાં ગયાં... ત્યાં સુધી કોઈને જાણ નહોતી કે “અગ્નિશર્મા ક્યાં ગયો? એનું શું થયું?” : ભાગ-૧ ( ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy