SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરહ સહવ... ઘણો આકરો છે... મારે આ હવેલીને હવે શું કરવી છે? આ વૈભવને મારે શું કરવો છે? અને.. હવે મારે કોના માટે જીવવું છે? પિંગલ, તું તારા ઘરે જા. મારા ખાતર તું દુઃખી ના થા.” પિંગલ રડી રહ્યો હતો. મહામંત્રીને આશ્વાસન આપવાની હામ તે ખોઈ બેઠો હતો... છતાં તેણે રોતાં રોતાં કહ્યું : પૂજ્ય, આમ વિવશ ના બનો... કુમાર હજુ આપણા નગરમાં જ છે! આપણે રોજ એમની પાસે જઈશું.... દર્શન કરશે. પાવન બનશું..” “પરંતુ તેઓ તો થોડા દિવસોમાં જ નગર છોડીને અન્યત્ર વિહાર કરી જવાના છે. “માસકલ્પ'ની મર્યાદાનું આચાર્યદેવ પાલન કરે છે.' તો આપણે તેઓ જ્યાં જશે ત્યાં રથમાં બેસીને જઈશું. ઘોડા પર બેસીને જઈશુંતેમનાં દર્શન કરીશું.' આપણા રોજ જવાથી, એમની આરાધનામાં વિક્ષેપ થાય પિંગલ.. આપણે એમને વિક્ષેપ નથી કરવો..” જ્યાં સુધી આપનું મન સ્વસ્થ ન થાય ત્યાં સુધી જ જઈશું. પછી નહીં જઈએ...' બ્રહ્મદત્ત મૌન થયા. આંખો બંધ થઈ... તેઓ મનની આંખે ઉપવનમાં બેઠેલા... મુંડિત મસ્તકવાળા શિખી મુનિને જોવા લાગ્યા.. આંખો ખોલીને બોલ્યા : પિંગલ, શિખી મુનિ, કેશના લંચન પછી કેવા લાલ યોગી દેખાતા હતા! તે પછી તેમના મુખ પર તેજ વધી ગયું હતું ને? તને શું લાગ્યું?” ખરેખર, તેમના મુખ પર ચંદ્રની સૌમ્યતા પથરાઈ હતી અને ઊગતા સૂરજની લાલિમા છવાઈ હતી.. વળી બંને મૌન થઈ ગયા. થોડી ક્ષણો વીતી. બ્રહ્મદને જ મૌન તોડ્યું : “પિંગલ, એક વાત તને કહું છું. મનમાં રાખજે. રાખીશ?” અવશ્ય... રાખીશ...' હું હવે ઝાઝા દિવસ નહીં કાઠું પિંગલ...' “એવું ના વિચારો પૂજ્ય.... જ્યાં સુધી શિખી મુનિ આચાર્ય ના બને ત્યાં સુધી આપનું જીવન રહેવું જ જોઈએ...' નલિની!' એક ફેક એક ૪૪૦ ભાગ-૧ ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy