SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘મહાનુભાવ, માન કે એક પુરુષ, સુગંધથી મઘમઘાયમાન અને રત્નજડિત ફરસવાળા ભવનમાં રહે છે. બીજો પુરુષ ફૂંક મારી મારીને મહામુસીબતે અગ્નિ સળગાવે છે. તેના ધુમાડાથી એનું ઘર ભરાઈ જાય છે એ ઘ૨માં સર્પોના દર છે! એક પુરુષ ચંદ્રકરણોથી ઉજ્વલ મહેલમાં રહે છે, અને રાતભર મનગમતી અને સુંદર પ્રિયાઓ સાથે ક્રીડા કરે છે, જ્યારે બીજો પુરુષ એકલો-અટૂલો ને અભાગી, શિયાળાની કડકડતી ઠંડીમાં ધ્રૂજે છે... એના શરીર પર ઉઝરડા પડ્યા છે. દાંત કચકચાવે છે... ને રાત્રિ પસાર કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પુરુષે રત્નજડિત સુવર્ણ-આભૂષણો પહેર્યાં છે, શરીર પર શ્રેષ્ઠ વિલેપન કર્યું છે. પ્રિયાના વક્ષસ્થળ પર વિલાસ કરે છે... બીજા. પુરુષના શરીર પર જૂની, ફાટેલી અને ગંદી કંથા પડેલી છે! અને રસ્તે રઝળતો બિચારો માંડમાંડ ભોજન પામે છે અને એ રીતે જીવન પસાર કરે છે. એક પુરુષ તેના ઘરે માંગવા આવનારાઓના મનોરથ પૂર્ણ કરે છે, જ્યારે બીજો પુરુષ ઘરે-ઘરે ફરીને ભીખ માંગે છે... છતાં પેટ ભરીને ભોજન કરી શકતો નથી. હે પિંગલ, પુણ્ય અને પાપના ભેદ આ રીતે દુનિયામાં પ્રત્યક્ષ દેખાય છે. એવી રીતે શાસ્ત્રોના માધ્યમથી પણ પુણ્ય-પાપનો ભેદ જાણી શકાય છે, તે તને કહું છું : પુણ્યથી મનુષ્યજીવન મળે છે. પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે છે. સારું મન મળે છે. સદ્ગુરુનો સમાગમ મળે છે... તેથી ધર્મપુરુષાર્થ થાય છે, સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય છે. પરિણામે દેવગતિ મળે છે... પુનઃ મનુષ્યજીવન મળે છે... મોક્ષમાર્ગ મળે છે... ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત થાય છે. પાપકર્મથી * હલકી જાતિમાં જન્મ થાય છે, * પાપકર્મોથી તિર્યંચગતિમાં જાય છે, * નરકમાં જાય છે. * પુનઃ તિર્યંચગતિમાં જાય છે... * પાપ પુરુષાર્થ કરી દુર્ગતિમાં ભટકે છે. પિંગલે આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન પૂછ્યો : શ્રી સમરાદિત્ય મહાકથા ‘ભગવંત, શું કરવાથી પુણ્યકર્મ બંધાય અને શું કરવાથી પાપકર્મ બંધાય?’ * આચાર્યદેવે કહ્યું : * દયા અને અહિંસાથી, * અસત્યનો ત્યાગ કરવાથી, * ચોરીનો ત્યાગ કરવાથી, For Private And Personal Use Only કચ્છ
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy