SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘માત્ર અનુમતિ આપવાની છે અને મારા ઉપર અપ્રીતિ નથી કરવાની...’ ‘મહારાજા, અપ્રીતિનું જે કારણ હતું તે કારણ દૂર થઈ ગયું છે... હવે ક્યારેય આપના તરફ મારા હૃદયમાં અપ્રીતિ નહીં જ થાય... બસ, એક જ વાત આપે માનવાની છે મારી...' ‘કહો... દેવી...’ ‘કુમારની કોઈ વાત મારી આગળ નહીં કરવાની, ભલે, એ શત્રુ આપનો છે, મારા પ્રત્યે એના મનમાં શત્રુતા નહીં રહે, છતાં જે બાળક પિતાનો શત્રુ હોય, તે બાળક મને ના ગમે. હું એનું મુખ જોવા પણ રાજી નથી. માટે, એની ચર્ચા તમારે મારી આગળ ના કરવી.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ભલે, હું એ સાવધાની રાખીશ.' તો રાજસભામાં વધામણી આપવા પ્રિયંકરા આવશે....’ ‘સારું,' મહારાજા ચાલ્યા ગયા. કુસુમાવલી ચાલ્યા જતા પોતાના સ્વામીને જોતી રહી.... તેણે સો મણનો નિસાસો નાંખ્યો. ‘શત્રુ ઉપર સ્નેહ કરીને, પ્રેમ બાંધીને... એક દિવસ આ સરળ પિતા પુત્રનો વધ્ય બનશે...’ તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. મદનરેખાએ સ્વચ્છવસ્ત્રથી આંખો લૂછી નાંખી. ૩૧૮ રાજસભામાં જઈને પ્રિયંકરાએ ‘પુત્રજન્મ’ની વધાઈ આપી મહારાજાને, મહારાજાએ પ્રિયંકરાને શ્રેષ્ઠ અલંકારોનું દાન આપ્યું. નગરમાં ‘પુત્રજન્મનો ઉત્સવ રચાયો. For Private And Personal Use Only ભાગ-૧ ભવ બીજો
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy