SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (eaamદિત્ય કથા) વિશેષ વિગત આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ રચેલી આ કથાની વિ.સં. ૧૨૯૯માં તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રત ખંભાતમાં છે. તેમાં પાના ૭ ઉપર હરિભદ્રસૂરિજીએ “સમરાઈચચરિય” એવું નામ બતાવેલું છે. આચાર્યશ્રી ઉદ્યોતનસુરિજીએ “સમરમિયંકા કહા' એવું નામ આપ્યું છે! આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિજીએ આ કથાને ‘સમરાઈ કહા-પબંધ' એવું નામ આપ્યું કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ આ કથાને “સકલકથા' કહી છે. (જુઓ વ્યાનુશાસનની સ્વપજ્ઞ ટીકા મતંરપૂડામળિ) તેમણે લખ્યું છે - "સમસ્તનાન્તવૃત્તવના સમાવિત્યાવિત્ સવ નથી.’ આ ધર્મકથાનુયોગની કૃતિ છે, આ ધર્મકથા જ છે. આ કથામાં દુર્ગણનો ભોગ થનાર અને આત્માની ઉન્નતિ સાધવા, સન્માર્ગે વિચરનાર - બે વ્યક્તિનાં જીવન રજૂ કરાયાં છે. * જેમ “કાદંબરી' માં એક કથામાં બીજી ઉપકથાઓ છે, તેમ આ ધર્મકથામાં પણ અનેક ઉપકથાઓ છે. આ કૃતિ લગભગ ૧૦ હજાર શ્લોક-પ્રમાણ છે. જ આ કથાગ્રંથની શૈલી પ્રસન્ન, સરલ, અલંકારિક હોવા છતાં ગંભીર આ કથાગ્રંથમાં અનેક સુભાષિતો વેરાયેલાં છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ વિ.સં. ૧૩૨૪માં સંસ્કૃત ભાષામાં સમરાદિત્ય-સંક્ષેપ” ની રચના કરી છે. છે આ કથા, રાસરૂપે શ્રી પદ્મવિજયજીએ વિ.સં. ૧૮૩૯માં રચેલી છે. For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy