SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દભાવનાઓનું કેવું ઊંચું મૂલ્યાંકન કર્યું? ઘણી મોટી આ વાત છે. અપરાધ કરનારના મનોગત આશયમાં શંકા ના કરવી, એ નાનીસૂની વાત નથી.” “સાચી વાત છે, અપરાધની પ્રવૃત્તિ કરનાર મનુષ્યમાં અપરાધનો જ ભાવ હોય, તેવો એકાંતે નિયમ હોતો નથી. મનમાં શુભ આશય હોય છતાં આશયથી વિપરીત પ્રવૃત્તિ ક્યારેક થઈ જતી હોય છે.” અનિશર્માનું એક ઉદાત્ત વ્યક્તિત્વ આજે જોવા મળ્યું.' પરંત, મહારાજા કેમ તપોવનમાં ના આવ્યા?' કહ્યુંને અગ્નિશર્માએ? મહારાજાને પોતાના પ્રમાદથી એટલી બધી લજ્જા આવી ગઈ છે કે તેઓને પોતાનું મુખ કુલપતિને દેખાડવું શરમજનક લાગે છે.' તપોવનમાં, તાપસી પરસ્પર આવા પ્રકારના વાર્તાલાપ કરી રહ્યા હતા. અગ્નિશર્મા ત્રીજા મહિનાની ઉપવાસની પ્રતિજ્ઞા લઈ, પોતાની પર્ણકુટીમાં જઈને બેસી ગય. એ દિવસ પૂરો થઈ ગયો. ૦ ૦ ૦. બીજા દિવસે મહારાણી વસંતસેનાએ તપોવનના તાપસીની ભક્તિ માટે ઉત્તમ દ્રવ્યો તૈયાર કરાવ્યાં. ઉદ્યાનમાંથી શ્રેષ્ઠ ફળ મંગાવ્યાં. કેસર-ઇલાયચી મિશ્રિત દૂધના સ્વર્ણકલશો ભરાયા. અને આ બધી સામગ્રી તપોવનમાં લઈ આવવાની સૂચના પરિચારકોને આપી, રાજા-રાણી નિત્યકાર્યોથી પરવારી, રથમાં બેસી તપોવનમાં આવ્યાં. તપોવનના બાહ્ય પ્રદેશમાં રથમાંથી ઊતરી રાજા-રાણીએ તપોવનમાં પ્રવેશ કર્યા, માર્ગમાં મળતા સર્વે તાપસીને પ્રણામ કરતાં તેઓ કુલપતિના નિવાસ પાસે પહોંચ્યાં. તાપસકુમારોએ કુલપતિને, રાજા-રાણીના આગમનના સમાચાર આપ્યા. કુલપતિ પર્ણકુટીની બહાર આવ્યા. લજ્જાનો સો મણનો ભાર રાખી, રાજા-રાણીએ કુલપતિનાં ચરણોમાં પ્રણામ કર્યા. કુલપતિએ સ્નેહપૂર્ણ વાણીમાં કહ્યું : “વત્સ, તમારું સ્વાગત હો. તમને કુશળતા છે ને?” "ભગવનું, આપની કૃપાથી અને મહાતપસ્વીના ક્ષમાદાનથી અમે બંને કુશળ છીએ.' રાજા ગુણસેને કહ્યું. “શું થાય? આ સંસાર જ એવો છે. અણધારી આફતો આવી જતી હોય છે...' “પ્રભો, મારી એક પ્રાર્થનાનો સ્વીકાર કરશો? કહો, નિશ્ચિત બનીને કહો.” ભગવન, મારે સર્વે તાપસોની ઉત્તમ ખાદ્ય પદાર્થોથી ભક્તિ કરવી છે, અને અલ્પ સમય મહાત્મા અગ્નિશર્માની સેવા કરવી છે.” આનંદથી કરી શકો છો બંને કામ.” ૮૨ ભાગ-૧ % ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy