________________
વિરાગની મસ્તી
મુખ ઉપર તરી આવતો હતો. એમના અંતરમાં આનંદ માતો ન હતો. એ આનંદમાં ભાગ લેવા રજનીએ પણ તારલા જડિત ઓઢણું ઓઢ્યું હતું. - દા'એ આકાશમાંથી એક તારો ખરતો જોયો. ચમકારા મારતો, પ્રકાશ વેરતો એ ક્યાંક અદશ્ય થઈ ગયો! અને દા' મનોમન બોલી ઊઠ્યા..
વિમળશેઠ પણ ખરતો તારો જ બન્યો ને? એમના મૃત્યુએ આજની રાતે કાંઈ ઓછો પ્રકાશ વેર્યો હતો ! મહાત્માઓનાં મૃત્યુ પણ આ રીતે જ મંગળમય બને છે.