________________
וד
વિરાગની મસ્તી
८८
વારમાં તો બધાય ઊંધા પટકાયા! દરેકના મોંમાંથી લોહી વહેવા લાગ્યું ! તદ્દન અવાચક બની ગયા!
કપિલ બોલી ઊઠ્યો, “પણ ગુરુદેવ આ એકદમ શું બની ગયું?''
ગુરુદેવે કહ્યું, ‘વાત એમ બની હતી કે પોતાની પ્રજાની કરુણ સ્થિતિના સામાચાર મળતાં જ ધર્મરાજ એકદમ ગમગીન થઈ ગયા. શય્યામાંથી ઊભા થઈ જઈને એકાન્ત ગુફામાં ચાલ્યા ગયા. ત્યાં જઈને સમાધિ મંત્ર ભણવા લાગ્યા. જ્યાં એકસો ને આઠ મંત્રોનો જાપ થયો કે તરત જ સ્મશાનમાં ધમાચકડી મચી ગઈ! બધા ય ગુલાંટ ખાઈને ઊંધા પડી ગયા. લોહી વમતા થઈ ગયા!''
ગૌતમ તો તાળી પડતો બોલી ઊઠ્યો, ‘‘શાબાશ ધર્મરાજ! બહુ સારું થયું. ખૂબ મજા પડી. આ અંતર દુષ્ટો તો એ જ દાવના હતા.’’
દા’ બોલ્યા, ‘“શાબાશ બેટા ગૌતમ! તદ્દન સાચી વાત. ગુસ્સો તો આપણા અંતરના આ દુષ્ટો ઉપ૨ જ થાય; બહા૨ના દુષ્ટો ઉપ૨ તો નહિ જ. નહિ તો આપણી સુજનતા લાજે.’’
દા' એ વાત આગળ ચલાવી. ‘“પછી ધર્મરાજે એ મંત્ર સઘળા લોકોને ગણવા આપ્યો. જેમ જેમ મંત્રજાપ થતો ગયો તેમ તેમ બધાની લહાય શાન્ત થતી ગઈ. ફરી દરેક સ્વસ્થ થઈ ગયા.
આ બાજુ મોહ૨ાજનું સૈન્ય મરવા જેવું થઈ ગયું. મોંમાંથી ખૂબ લોહી વહી ગયું. બધા મૃતઃપ્રાય થઈ ગયા.
ધર્મરાજનો પ્રતાપી સૂર્ય વાદળમુક્ત બનીને પૂરબહારમાં ખીલી ઊઠ્યો. સંસારી જીવની ચિત્તવૃત્તિ દુશ્મનોના ભયથી સદા માટે મુક્ત થઈ. આકાશમાં દુંદુભિના નાદ થયા. આખા નગરમાં માંગલિક ઉપચારો થવા લાગ્યા. લલનાઓએ માંગલિક ગીતો ગાયાં! બાળાઓ નૃત્ય કરવા લાગી. યુવાનો એકઠા મળીને મુક્ત મને ધર્મરાજની સ્તવના કરવા લાગ્યા. સંસારી જીવની ચિત્તવૃત્તિમાં વિરાગની કલ્પલતાનું બીજ સ્થિર થયું અને અંકુરો ફૂટવાની સુંદર ભૂમિકા તૈયા૨ થઈ ગઈ.