________________
૫૬
વિરાગની મસ્તી
લીનતા અને દીનતાને દફનાવતા હોય, એ ગામમાં એક દુઃખીયારી સ્ત્રી દુઃખની મારી અને દીનતાના વીંછીના ડંખથી કણસતી કૂવો પૂરે એ ખરેખર એ ગામડાના આશ્ચર્યની પરાકાષ્ટા હતી.
મધરાતે પણ જાગતો વિમળ શું ભરબપોરે ઊંઘી ગયો હશે!
તત્ત્વજ્ઞાની જીવરામદા પણ શું ગફલતમાં રહી ગયા હશે!
ગમે તેમ હશે પણ એક અબળાએ બળવાન બનીને કૂવો પૂર્યો, એ એક ઉઘાડું સત્ય હતું.
EM CAM.