SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાગની મસ્તી મૃત્યુને એ સઘળી શિખામણોનો રામબાણ ઈલાજ માને છે. બિચારીને ખબર નથી . મૃત્યુની પેલે પાર દુઃખમયી, આગભરી દુનિયાઓની! માતા બનીને જે માતા મટી જાય તેની માનવ તરીકેની પણ હસ્તી અબજો વર્ષો માટે મટી જવાની! ક્યાં ખબર છે આ દીનહીન ચંપાને કે દુઃખનું ઓસડ મૃત્યુ નથી, પણ દુઃખના મૂળિયાંનો ઉચ્છેદ છે. ચંપાને પાછી ફેરવવાના પોતાના પ્રયત્નમાં થાકેલી પ્રકૃતિ જાણે ઝડપભેર પાછી ફરી રહી હતી. પવને સુસવાટો મૂકી દીધો હતો. ધૂળની ડમરીઓ શાન્ત થતી જતી હતી. બાળપશુઓની ચીચીયારીઓ સંભળાતી બંધ થઈ હતી. ચંપા ઝપાટાબંધ ચાલી જતી હતી. એની ચાલમાં વિલક્ષણ યોગ હતો. એના મુખ ઉપર સંકલ્પને પાર ઉતારવાની ભીષણ કઠોરતા તરવરતી હતી. એની આંખો જાણે આગ વરસાવતી હતી. ચંપા કૂવે ગઈ. ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. કૂવો કલંકિત બન્યો. ત્યારથી લોકોએ એ કૂવો ગોઝારો કહેવા માંડ્યો. લોકો કહેવા લાગ્યા, “ચંપાના પડોશીએ કશું ય ભાન ન રાખ્યું! છેવટની ઘડી સુધી આંખ આડા કાન કર્યા! ધિક્કાર હો! એ નિષ્ફર હૈયાંને! એ કલંકિત બનેલા કુટુંબને !' ઘરડી ડોશીઓ કહેવા લાગી, “આખો જન્મારો અહીં કાઢ્યો પણ કોઈ દી' આવું બન્યું નથી. આજે તો સુવર્ણગઢ કલંકિત થયો.” જુવાનો કહેવા લાગ્યા, “ના, ના, કલંક તો ધનવાનોની અભિમાની આલમને લાગ્યું કે જેમણે પેટ ભરીને પટારાઓ ભર્યા તોય સંતોષ ન વળ્યો. આ ભૂખી અબળાનું પેટ ન ભર્યું! ધિક્કાર હો એ ધનવાનોની આલમને! એકલપેટાઓને! સ્વાધોને! ગરીબોની હાય એક દી' એમની મહેલાતોને ઊભી ને ઊભી સળગાવી નાંખશે. એની ભસ્મ પણ હાથ નહિ લાગે. પણ ક્યાં સમજવો છે એમને કુદરતનો અટલ ઈન્સાફ!'' કલાક બે કલાકમાં તો તરેહતરેહની હવા ફેલાઈ ગઈ. સાચે જ, સુવર્ણગઢમાં ખૂબ જ આઘાતજનક ઘટના બની ગઈ. જે ગામમાં વિમળ જેવો ગરીબોનો બેલી વસતો હોય અને જીવરામદા જેવા સંતપુરુષ સુખદુ:ખે આળાં બનેલાં હૈયાઓની
SR No.008949
Book TitleViragni Masti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size368 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy