________________
વિરાગની મસ્તી
એકદમ આંચકો ખાઈ જાય છે. એ મન વિચારે ચડે છે, “વિનાશીની મહોબ્બતમાં અવિનાશીને શિરે સીતમ ગુજરે?' વિનાશીની પ્રીતનાં સુખ કેવાં મોહક છે કે અવિનાશીને ભૂલો પાડી દે? અને ભટકતો રઝળતો છોડી મૂકે નર્યા દુઃખોથી ખદબદી ઊઠેલા ભવ-રાનમાં !
હાય! તો.... તો..... દુઃખ નહિ પણ એ પ્રીતનાં સુખ જ ત્યાજ્ય છે... એવાં સુખોના સાધનો જ ફેંકી દેવા જેવા છે.
જો દુઃખ ભયંકર છે તો સુખ એથી પણ વધુ ભયંકર નથી શું? કે જે એવા ભયંકર દુઃખનું જનક છે ? તો પછી દુઃખભીરૂએ સુખભીરૂ જ બનવું જોઈએ ને? સુખને આલિંગતો, દુઃખથી નાસી છૂટવા ભલે લાખ લાખ પ્રયત્નો કરતો રહે પણ એ બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના. સુખના આશ્લેષ કરવા અને એની મોહિનીમાં છુપાયેલી દુ:ખોની કાતિલ કટારોથી વેગળા રહી જવું? અસંભવ? વિષકન્યાને આલિંગીને આનંદ માણવા જતો રાજકુમાર મોજ માણી જાય? જીવતો રહી જાય? અસંભવ !
સુખ જ ભયંકર છે' એ માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે. મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે.
સુખ જ ભયંકર છે' એ વાક્ય વાક્ય જ નથી, મહાવાક્ય નથી, એ તો છે બ્રહ્મવાણી. એ છે પરમશુદ્ધ આગમવચન. સર્વ સત્યનો એ જ સારાંશ છે.
તમને લાગે છે કે આજના વિજ્ઞાનવાદના ચોકઠામાં ફસાયેલા તમારા જીવનની શાન્તિ હણાઈ ગઈ છે? તમારે તમારા જીવનની આ કરુણતાભરી બરબાદીમાંથી ઊગરી જવું છે? તો.... તો રાડ પાડીને બોલી નાંખો...” સુખ જ ભયંકર છે.” રોમ રોમથી પુકાર કરો, ‘સુખ જ શાન્તિનો વિનાશક છે.” સુખ જ ભયંકર છે” એ સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ય આત્મસાત્ કરો. સુખને ભયંકર માનો, સુખથી ભાગી છૂટો, સુખના સાધનોને ‘ધૂ” કરવાની કળા શીખી લો.
સુખ મળ્યું હોય તો આપી દો; મળતું હોય તો ફેંકી દો; ન મળવાની માળાનો અજપાજપ કરો.
પછી?. પછી ?.... સુખ તમારી હથેળીમાં જ રમતું રહેશે. સુખથી નાસી છૂટે એને ચિત્તશાન્તિનું અપૂર્વ સુખ વળગી જ પડે છે.
યાદ છે ને પેલું વાકય? happiness divided by wishes...! સુખ હંમેશ જરૂરિયાતોથી ઘટતું જાય છે પણ જેણે સુખથી અને એના સાધનોથી જ નાસભાગ