________________
વીર ! મધુરી વાણી તારી
દ્વેષ નથી તે મહાદેવ કહેવાય'' એવું ન કહેતાં રાગના વર્ણનમાં કહ્યું છે તે જ રીતે જેમને દ્વેષ નથી તે મહાદેવ કહેવાય' એમ જ હેવું સમુચિત લાગે છે.
૯
ઉઃ- બરોબર છે છતાં આમ ‘જીવો ઉપરના દ્વેષાભાવને મહાદેવની લાયકાત જણાવી તે એટલા જ માટે મિત્ર ઉ૫૨-અવિરોધી જીવ ઉપ૨ - જેમ દ્વેષ નથી થતો તેમ પોતાના વિરોધી ઉપર પણ ન જ હોવો જોઈએ. વિરોધી ઉપરનો દ્વેષભાવ એ તો સામાન્ય માણસનું જીવન છે. આપણે જેમને મહાદેવ કહેવા છે તેમનામાં તો વિરોધી જીવો ઉપર પણ દ્વેષ સર્વથાન ન જોઈએ અને જો કોઈ દેવ પોતાના વિરોધી નાશ માટે શસ્ત્રાદિ ઉપાડતા હોય, ત્રિશૂળથી એના શરીરને વીંધી નાંખતા હોય, છાતી ઉપર ચડી બેસી એની જીભ ખેંચી કાઢતા હોય તો એ અંતરના દ્વેષભાવના સૂચક સ્વરૂપવાળા દેવને મહાદેવ તો કહી શકાય જ નહિ. હવે બાકી રહી જ ડ ઉપ૨ના દ્વેષાભાવની વાત. જેમને વિરોધી ઉપર પણ દ્વેષ ન હોય તેમને જડ વસ્તુઓ ઉપર તો અવશ્ય દ્વેષ ન હોય. એટલે વિરોધી જીવ ઉપરના દ્વેષ વિનાના દેવ જડ ઉરના પણ દ્વેષ વિનાના જ હોય - એ વાત સ્થિર થઈ જવાના કારણે તથા વિરોધી જીવ ઉપરના દ્વેષવાળા સ્વતઃ તો મહાદેવ જ નહિ એ હેતુથી જ જીવ ઉપરના દ્વેષાભાવવાળાને મહાદેવ કહ્યા છે.
મોહનું સ્વરૂપ : (૧) આત્મામાં રહેલા સત્ જ્ઞાનને ઢાંકી દેનાર મૂઢ બનાવનાર મોહ છે. (૨) આચારમાં પણ એ અજ્ઞાનના જોરે મલિનતા લાવનાર મોહ છે.
અજ્ઞાન અને અવળું જ્ઞાન આ બે ય મોહના સ્વરૂપો છે. જેવું જ્ઞાન તેવો આચાર એ સામાન્ય નિયમ છે.
જેની વૃત્તિમાં મેલ પેઠો એની પ્રવૃત્તિમાં મેલ કેમ ન હોય?
રે! વૃત્તિનો પ્રકર્ષ જ પ્રવૃત્તિ છે ને!
બાહ્ય અશુભ આચારોને ટાળવા માટે ઉપમિતિકારે પણ છેવટે સદ્બુદ્ધિનું સાન્નિધ્ય જ બતાવ્યું છે. જેની પાસે સબુદ્ધિ છે એ પોતાને અહિતકર વર્તાવ કરી શકતો જ નથી. કદાચ સંયોગવશાત્ તેવો વર્તાવ કરવો પડે તો ય એનો ત્રાસ એટલો બધો હોય છે કે આત્માને અહિતકર આચાર પણ એનું અહિત કરવામાં નિષ્ફળ બની જાય છે એટલું જ નહિ પણ એ વખતનો એનો પશ્ચાત્તાપ એનું વધુને વધુ હિત કરતો જ રહે છે.
પછી આવા આત્માઓના જીવનમાં આવી જાતનો વૃત્તિ પ્રવૃત્તિનો વિસંવાદ વધુ સમય ટકી શકતો જ નથી. જેવી હિતની વૃત્તિ તેવી જ હિતની પ્રવૃત્તિ વહેલામાં