________________
વીર ! મધુરી વાણી તારી
પ્રકાશમાં સો પુસ્તકો વાંચી જનાર કરતાં ચાંદની રાતમાં બે જ પુસ્તક વાંચી બતાડનારની આંખો ખૂબ જ તેજસ્વી ગણવામાં આવે છે.
८८
સુષમાકાળની વિરાટ આરાધનાઓ કરતા દુઃષમાકાળની નાનકડી આરધનાઓ પણ આશ્ચર્યો સર્જતી હોય છે.
માટે જ તોએ કાળના સેંકડો રાજવીઓના રાજ્યત્યાગ કરતાં ય આ દુઃખમાકાળના લક્ષાધિપતિ પિતાના એક નવયુવાન દીકરાનો નાનકડો-તુચ્છ સંસારત્યાગ ખૂબ જ ગણનાપાત્ર બની જાય છે!
આ વસ્તુસ્થિતિ છે. માટે જ સુષમાદિકાળની જેમ દુઃષમાકાળમાં પણ અલ્પ આજ્ઞારાધના પણ અભ્યુદય અને નિઃશ્રેયસના એવા જ ફલની બક્ષિસ પામી જાય છે.
છેવટે સરવાળો તો બે ય કાળના આરાધકોનો તુલ્ય જ આવે છે ને? સુષમાકાળના આરાધકો ૭ ગુણ આજ્ઞારાધન કરે. થોડુંક જ અશક્ય હોય માટે ૩ ગુણ તેનો પશ્ચાત્તાપ કરે.
૭ + ૩ = ૧૦ થયાં.
દુઃષમાકાલના આરાધકોને ઘણું અશક્ય અને થોડું જ શક્ય. એટલે શક્યના આરાધનના ૩ ગુણ મળે. અને અશક્યના પશ્ચાતાપના ગુણ વધી જતાં ૭ થાય. ૩
+ ૭ = ૧૦.
સ્વમતિકલ્પનાના ધર્મોની અધર્મથા ઃ
સુષમાકાળ કે દુઃખમાકાળ ગમે તે હોય. સાચા આરાધકોની આરાધનાના પરિણામમાં ફેર આવી શકતો જ નથી.
શરત છે માત્ર સ્વમતિને ફગાવી દેવાની, જિનમતિને જ જીવનનો ધ્રુવ-તારક બનાવવાની.
ભલે કોઈ આરાધક આરાધના કરે, ઉભયટંક આવશ્યક ક્રિયા વગેરેની... પરંતુ જો તે સ્વમતિ કલ્પનાથી હોય તો તીર્થંકર ભગવંતોની કહેવાતી તે આજ્ઞાઓ પણ સંસારમાં ભમાવનારી જ બની રહે છે. કેમકે વસ્તુતઃ તે આજ્ઞા તીર્થંકરદેવોની નથી પણ પોતાની જાતની જ છે.
આથી જ ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં સ્વમતિથી જ ચાલતા સ્વચ્છંદી સાધુઓની ગચ્છમાં ગોચરીના દોષ જોઈ ગચ્છથી મુક્ત થઈને નિર્દોષ જીવન જીવવાની આરાધનાને તીર્થંક૨ભક્તિસ્વરૂપ ન કહેતાં વિરાધનાસ્વરૂપ જ કહી છે. જો તીર્થંકરની