________________
| |_
૧૯૮
વિર ! મધુરી વાણી તારી
એમણે તો “પ” કરતોકને એવો મોટો ઠેકરો માયો કે સીધા જઈને બેઠા લંકામાં!
પંગતમાં એક પણ વાનર નથી. રામચન્દ્રજી અને સરસેનાધિપતિ ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા. એ ક પણ વાનરને પંગતમાં ન જોતાં રામચન્દ્રજીએ સરસેનાધિપતિની સામે આશ્ચર્ય જોયું. સસ્મિત જવાબ મળ્યો; “મહારાજ! માટે જ મેં વાનરસેનાને આમંત્રણ પાઠવ્યું ન હતું! આ જાત લંકા સળગાવી શકે પણ પંગતમાં બેસીને શિસ્તબદ્ધ ભોજન ન કરી શકે !'
એક અધિકાર પ્રાપ્ત થવાથી બધા જ અધિકારોની લાયકાત આવી જતી નથી.
હળથી ખેતર ખેડવાનો અધિકાર પ્રાપ્ત કરનારો ખેડૂત ભારતના વડાપ્રધાનની ખુરશી ઉપર બેસી જવા માટે તદ્દન નાલાયક છે.
ભારતના વડા પ્રધાન પણ ખેતર ખેડવાના કામ માટે એટલા જ નાલાયક છે. પ્રસ્તુતમાં પણ ગૃહસ્થોના દ્રવ્યાગ્નિકારિકાના અધિકારને દીડિતો પામી ન શકે. અને દીક્ષિતોના ભાવાગ્નિકારિકાના અધિકારને ગૃહસ્થો અમલમાં મૂકી દે અને પોતાનો દ્રવ્યાગ્નિકારિકાનો અધિકાર જતો કરે તે ય ન ચાલે.
છતાં જો કોઈ દીક્ષિત દ્રવ્યાગ્નિકારિકાનો જ આગ્રહી હોય તો ભલે તેમ હો... પરંતુ પછી તેને દીક્ષિત તો ન જ કહેવાય. એણે પોતાને ગૃહસ્થ જ કહેવડાવવો જોઈએ અથવા ગૃહસ્થતુલ્ય કહે વડાવવાં જોઈએ. જ્ઞાનધ્યાનનું - ફળ મોક્ષ
જિનાગમોમાં આ વિધાન છે એમ નથી પર સિદ્ધાંતોમાં પણ આ જ વાત કહી
દીક્ષા-સંસારપરિત્યાગની ક્રિયા - એ સર્વકર્મના વિનાશ માટે જ સઘળા તત્ત્વચિંતકોએ કહી છે. આવા કર્મ મોક્ષના સાધ્યનું સાધન શું? તેની વિચારણા કરતાં તેઓએ જ્ઞાન અને શુભ ધ્યાનને જ કહ્યું છે. દ્રવ્યાગ્નિકારિકાને મોક્ષનું સાધન કોઈએ કહ્યું નથી. બેશક મોક્ષનું સાધ્ય અતીન્દ્રિય છે માટે તેનું સાધન પણ આપણે ન શોધી શકીએ; પરંતુ અતીન્દિરય પદાર્થોની વાતોમાં આગમશાસ્ત્રો જ પ્રમાણભૂત મનાય ચે અને તે આગમોમાં મોક્ષના સાધન તરીકે જ્ઞાન અને ધ્યાનને જ કહ્યા છે.
જ્ઞાન-ધ્યાનનું ફળ સર્વકર્મ મોક્ષ જ છે. સર્વકર્મક્ષય માટે જ્ઞાન-ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વ મોક્ષવાદીઓ મોક્ષાદિ અતીન્દ્રિય પદાર્થો માટે જે આગમને પ્રમાણભૂત