SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ! મને દોષોની વેદના આપો કલ્યાણમિત્ર જ બનીએ કલ્યાણમિત્ર જ બનાવીએ દુઃખોની વેદના તો આપણે નથી ઇચ્છતા તો ય કર્મસત્તા આપણા લમણે ઝીંકતી જ રહે છે. આપણે એક અલગ પ્રકારની જ વેદના પ્રભુ પાસે માગવા જેવી છે. એ વેદના છે, દોષોની વેદના. આંખોમાં અવારનવાર વિકારોનાં સાપોલિયાં આંટા તો લગાવી જાય છે પણ એની આપણને વેદના ક્યાં? અનંતોપકારી ગુરુદેવશ્રી સાથે ય આપણે ક્યારેક માયા કરી બેસીએ છીએ પણ એની આપણને વ્યથા ક્યાં? અપેક્ષા તૂટતાં કે સ્વાર્થભંગ થતા આવેશના, ઉદ્વેગના, સંક્લેશના શિકાર આપણે અવારનવાર બનતા તો રહીએ જ છીએ પણ આપણને એની વેદના ક્યાં ? આવો, અશ્નપૂર્ણ આંખે પ્રભુ પાસે આપણે આ દુર્લભ અને વંદનીય વેદના માગીએ. એ વેદના આપણને મળી નથી અને દોષોએ જીવનમાંથી દૂર થઈ જવાની તૈયારી શરૂ કરી નથી ! આપણી પાસે સાપેક્ષ યતિજીવન છે. અનેકની વચ્ચે રહીને આપણે સંયમજીવન જીવવાનું છે. આપણે ખુદ કર્મોને અને કુસંસ્કારોને આધીન છીએ તો આપણા પરિચયમાં જે પણ આવશે એ ય કર્મોને અને કુસંસ્કારોને આધીન છે. આ સ્થિતિમાં શું બચાવી રાખવું આપણે આપણાં અને સામાના પણ સંયમજીવનને ? બે બાબતમાં આપણે એકદમ ચોક્કસ થઈ જવા જેવું છે. જે પણ આપણા પરિચયમાં આવે, આપણે એના કલ્યાણમિત્રજ બન્યા રહીએ અને આપણા માટે જે કલ્યાણમિત્ર જ બન્યા રહેતા હોય એના જ પરિચયને આપણે સંબંધમાં રૂપાંતરિત કરતા રહીએ. જો આ બંને બાબતમાં આપણે એકદમ ચોક્કસ બની ગયા તો પછી તાકાત નથી કોઈ પરિબળની કે જે આપણા માટે અને આપણા પરિચયમાં આવનાર માટે નુકસાનકારક બની શકે.
SR No.008942
Book TitleTo Pachi Kyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy