________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિજિતને બોલાવો!” અગ્નિજિત ઝટપટ પહોંચી ગયો.
અમે બધાંએ રાજસભા ગોઠવી, ફક્ત અમને રાજા મળતા નથી.” અગ્નિજિતે ત્યાં આવી પહોંચેલા અભયકુમારને કહ્યું : “અમે તમને રાજા બનાવવાનું નક્કી કર્યું છે!' વિદ્યાર્થીઓના ગુરુ બ્રહ્મદત્તે વાતને સમર્થન આપ્યું. સૌ બાળકોએ તાલીઓના ગડગડાટથી પ્રસ્તાવને ટેકો આપ્યો.
અભયકુમારે કહ્યું : “હું તો ઈન્દ્રજિતને લેવા આવ્યો છું!' “ના રે, ઇન્દ્રજિત તો અશ્વપાલ છે. એને બોલાવવા મગધના મહામંત્રી આવે નહીં! એ તો સેવકને આજ્ઞા કરે!” અભયકુમાર હા-ના કરતા રહ્યા અને બાળકોએ અભયકુમારને પેલા કાળા પથ્થરના સિંહાસન પર બેસાડી દીધા! અત્યંત આદરથી ઝૂકીને બ્રહ્મદત્ત બોલ્યો : “રાજગૃહીના અધિપતિ અભયકુમાર મહારાજાનો...” સૌએ હર્ષોલ્લાસથી પ્રતિસાદ દીધો “જય હો! સૌ નીચે બેસી ગયા. અભયકુમાર રાજાની અદબથી બોલ્યો : “અમાત્ય! સભાનું કામકાજ શરૂ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે!'
અમારી આ રમત બરાબર જામી હતી. એટલામાં બાજુમાં ચરતાં પશુઓમાંથી એક માતેલો આખલો જયજયકારના અવાજથી ભડક્યો! એણે એની જાડી પૂંછડી ઊંચી ટટ્ટાર કરી અવાજની દિશા તરફ કાન માંડ્યા. નસકોરાં લાવતો, અને શિગડા ભરાવતો, કાનને ઊંચા કરતો - સીધો એ અમારી તરફ ધસ્યો. એનું વિકરાળ રૂપ જોઈ બ્રહ્મદત્ત ભાગ્યો. એ હાથ ઊંચા કરીને મોટેથી બોલ્યો: “સેનાપતિ, મહારાજ, ભાગો રાજ પર સંકટ..”
વરસાદનું પાણી જમીન પર પડતાં જ ચારેબાજુ ફેલાઈ જાય એમ ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. અગ્નિજિત અભયકુમારનો હાથ પકડી ખેંચવા લાગ્યો. પરંતુ ત્યાં જ અનલ અને આદિત્ય - સુલસાના છેલ્લા બે પુત્રો ધસી આવ્યા. તેઓએ અભયકુમારને કાળા પથ્થરથી પાછળ ઉતારી, તે બંને એ પથ્થર પર ઊભા રહ્યા. ઝંઝાવાત સમો એ આખલો ઘસ્યો. એની આંખોમાં અંગારા ઝરતા હતા. અડફેટમાં આવે એને લાત મારી એનાં ચીંથરેચીંથરાં ઉડાડી નાખવા એના મગજની નસો તણાતી હતી. એના મોમાંથી લાળ ટપકતી હતી. તે પથ્થર પાસે આવીને સહેજ વાર ઊભો રહ્યો. આગળના પગની ખરીથી ખરર માટી ખોદી અને શિંગડાં ઊંચાં કરી ધારદાર બાણની જેમ એકાએક ઊછળ્યો. અનલે અને આદિત્યે ક્ષણવાર
સુલાસા
૬૩
For Private And Personal Use Only