________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભયકુમાર ઊભા થયા, અને સભાની શરૂઆત થઈ. વંદનીય મગધાધિપ મહારાજા, મહારાણી, આદરણીય ગુરુજનો, મંત્રીમંડળના મંત્રીજન, આમંત્રિત મહારાજાઓ, યુવરાજ અને નગરજનો! આજે આપણે અહીં શા માટે ભેગા થયા છીએ, એ આપ સૌ જાણો છો. રાજકુમાર મેઘ, મહારાણી ધારિણી દેવીનો લાડકવાયો, ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળી સંસાર પ્રત્યે વિરક્ત થયો છે. એ પ્રભુના ચરણે જીવન સમર્પણ કરવા ચાહે છે...પરંતુ મહારાજની ઇચ્છા છે કે એક વાર મેઘકુમારનો રાજ્યાભિષેક કરી, એમને મગધના મહારાજા ઘોષિત કરવા. પછી ભલે એ દીક્ષા લે. ભગવાન મહાવીર અત્યારે આપણી રાજગૃહીમાં વર્ષાકાળ વ્યતીત કરી રહ્યા છે. તેમનો ધર્મોપદેશ આપણે સહુ સાંભળીએ છીએ. તેમનાં દર્શન-વંદન પણ કરીએ છીએ.
મહાનુભાવો! વીર પ્રભુ એટલે સહસ્ત્ર પાંખડીનું શાંતરંગી કમલપુષ્પ છે. એની ગમે તે પાંખડી લો! એનો મૃદુ સ્પર્શ અને શાંત રંગ આપણું મન હરી લે છે. પ્રભુના જન્મથી લઈને અનેક સ્વરૂપો મારી આંખ સામે તરવરી રહ્યાં છે! મેં અનેકવાર એમને જોયા છે, સાંભળ્યા છે. એમના જીવનમાં બનેલી ઘટનાઓ અનેકના મુખે સાંભળી છે!
મહાનુભાવો! વીર પ્રભુને આપણે આપણી સીમિત બુદ્ધિથી તોલવાનો પ્રયત્ન કરીશું તો ખરેખર, આપણે નિષ્ફળ જવાના. એમને મૂલવવા વિશાળ અનંત આકાશ તરફ દષ્ટિ કરવાની જરૂર છે. સમય જતાં આકાશ પણ વામણું લાગશે.
સંસાર એમના માટે શું ધારે છે એની જરાય પરવા કર્યા વિના, હું મારી જાતને મહાવીરનો વિનમ્ર ભક્ત ગણું છું. ભક્ત પોતાના ઇષ્ટદેવ વિશે શું કહે? ભક્ત પોતાના મનમંદિરમાં એમને શ્રદ્ધાથી પૂજતો રહે છે! ભક્તને પોતાની ભાવના વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે. બસ, આટલું કહીને હવે મેઘકુમારનો રાજ્યાભિષેક કરવાની મંગલક્રિયા શરૂ કરવામાં આવે છે.
મહારાજા શ્રેણિક ઊભા થયા. તેમની સામે મેઘકુમારને ઊભો રાખ્યો. તેના મસ્તકે સુવર્ણજડિત મુગટ મૂકવામાં આવ્યો. રૂપેરી મૂકવાળી તલવાર કમરે બાંધવામાં આવી અને જરિયાન સુંદર વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. રાજપુરોહિતે ઘોષણા કરી : “મગધનરેશ મહારાજા મેઘકુમારનો જય હો!” આખી સભાએ જયજયકાર કર્યો. મેઘકુમારને રાજસિંહાસન પર આરૂઢ
૩૬
સુલાસા
For Private And Personal Use Only