________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘકુમાર પ્રભુ વીર પાસે દીક્ષા લેવાનો છે...” બોલતાં બોલતાં મારો સ્વર ભરાઈ ગયો. પણ હું પૂછું છું કે એમાં તારે આટલું બધું વ્યથિત થવાનું શા માટે ?'
નાથ, એ સમજવા માટે વિશેષ કરીને માતા બનવું પડે! એ સિવાય પુત્રવિરહની વેદનાની ખબર ન પડે...”
“તારી વાત સાચી છે સુલસા.' હંમેશની જેમ અટારીએથી દૂર ક્ષિતિજ તરફ જોતાં તેઓ બોલ્યા. ‘તને એક પ્રશ્ન પૂછું? સાચેસાચું કહેજે.' ‘તમારી પાસે કદી હું જૂઠું બોલી છું? બોલવાની પણ નથી! આપ મારા પરમેશ્વર છો..'
મેઘકુમાર વીર પ્રભુના ચરણે રહે, એ તને ગમે છે ને?' “ગમે છે! ખૂબ ગમે છે. પણ ધારિણી રાણીના હૃદયનો વિચાર મને વ્યથિત કરી દે છે...અલબત્ત, હું સમજું છું કે એ એક પ્રકારનો મોહ છે. પુત્રમોહ છે. પરંતુ એ મોહ તો મને પણ ક્યાં નથી? પુત્રપ્રાપ્તિ માટે મેં પણ દેવારાધન કર્યું ને?' ‘એ મારી પુત્રેચ્છા પૂર્ણ કરવા માટે! તને તો ક્યાં પુત્રેચ્છા હતી?'
ઓ મારા નાથ, જે તમારી ઇચ્છા, તે મારી ઇચ્છા નહીં? દેવે આપણા પર પરમ કૃપા કરી. માગ્યો હતો એક પુત્ર, દેવે આપ્યા બત્રીસ પુત્ર! તમે બત્રીસ પુત્રીના પિતા બનવાના!
પણ, પુત્રની પ્રાપ્તિ થયા પછી, પત્નીના પતિપ્રેમમાં ઓટ આવે છે, એમ કહેવાય છે!”
નાથ, તમારી યાદ માત્ર એક જ બનાવથી દૂર થાય અને તે મારા મૃત્યુથી!”
સુલસા, ખરેખર તું મારા માટે સ્વર્ગીય આનંદની બક્ષિસ લઈને આવી છો!”
એમની પાણીદાર આંખો મારા હૃદયસરોવરમાં ડૂબકી મારતી હતી.
દિવસો પર દિવસો જતા હતા. મને ઊઠવા-બેસવામાં તકલીફ પડતી હતી. પલંગ પર આડા પડતાં જ મારી આંખ સામે આખું જીવન ખડું થઈ જતું હતું. બાળપણમાં પિતા મૃત્યુ પામ્યા પછી માતાએ મને પ્રેમથી ઉછેરી
સુલતા
૩૧
For Private And Personal Use Only