________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટે મોટે મોટે હું તો
મોતીડે વધાવું રે... કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે.. લીધું લીધું લીધું મારું
ચિતડું ચોરી લીધું રે... એક દિવસ સમવસરણમાં, શ્રેણિકની રાણીઓ ધારિણી અને નંદા, સુલતાને ભેગી થઈ ગઈ. ધારિણીએ ભાવથી છલકતા હૃદયે વાત કરી - “સુલસા, હું અને નંદા આ રાજગૃહીમાં પ્રભુ વીરની સેવામાં કોઈ કચાશ નથી રાખતાં. એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવવાનો સ્વાદ સાંપડે છે. અમારા અન્તઃપુરમાં “મહાવીર' સિવાયના બીજા બધા શબ્દો ફિક્કા લાગે છે. અહીં બધું વીરમય છે! પ્રભુમય છે! મધુમય છે! છતાં મહાવીરના કાને ક્યાંકથી “સુલતા' શબ્દ પડે ત્યાં તો અમારા નાથ મૌન-ઉદાસીમાં સરી પડે છે. તું તો મહાવીરની પ્રિય શ્રાવિકા છો. મને તારી અદેખાઈ નથી આવતી, મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય હું તો તારી પાસે વીરપ્રેમનું રહસ્ય જાણવા માગું છું. જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન કરી શકીએ! તારા સમર્પણનું એવું તે કેવું તત્ત્વ છે, જે અમારામાં ખૂટે છે? બહેન, તારા મહાવીરને વધારે સુખી કરવા માટે આ પૂછી રહી છું!”
આ સાંભળીને તુલસા મૌનમાં સરકી પડી. એની આંખોમાં આંસુ ઊભરાયાં. મહાપ્રયત્ન એણે ધારિણીને કહ્યું : “બહેન મારી! આ સવાલનો જવાબ હું શું આપું? તું મારા મહાવીરને જ પૂછી જોજે.'
મહાવીરની શ્વાસની લિપિ પોતાના શ્વાસ દ્વારા પામે તે સુલસા! મહાવીરના ધબકારાની ભાષા પોતાના ધબકારામાં પામે તે સુલતા! અને મહાવીરથી દૂર રહ્યા છતાં જે અદ્વૈત સાધી શકે તે સુલતા!
માનવસંબંધોનું જે છીછરાપણું છે તેને પરિણામે માણસને ધરવસંતોષ નથી થતો. એના જીવનમાં જે અધુરપ રહી જાય છે તે ઝીણાં શૂળ ઊભાં કરે છે. આજના માણસની પીડા એ મારી દૃષ્ટિએ છીછરા માણસની પીડા છે. ક્યાંક સંબંધનું ઊંડાણ પામવાનું ચૂકી જવાય છે.
૨૪
સુલાસા
For Private And Personal Use Only