________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री पूज्यपूजादिपुरस्सराणि।
ह्यारंभकार्याणि फलन्ति लोके ।। દેવ-ગુરુ આદિ પૂજ્યોની પૂજાથી પ્રારંભ કરેલાં કાર્યો શીઘ્રતાથી ફળ આપે છે.'
સુલસી તો આમેય' પરમાત્માની પરમ ઉપાસિકા હતી, પરંતુ દેવનું વરદાન મળ્યા પછી પરમાત્મભક્તિમાં ભરતી આવી. પરમાત્માની ત્રિકાળ પૂજા-અર્ચના-સ્તવના કરવા લાગી. ભગવાન મહાવીર પ્રત્યે એના હૃદયમાંથી અપૂર્વ ભક્તિનું ધસમસતું ઝરણું વહેવા લાગ્યું. તેના કંઠમાંથી એક સ્તવના વહેવા માંડી -
જ્યારે જ્યારે જોઉં ઓલ્ય પંકજ પાંગરેલું, ત્યારે યાદ આવે વીરનાં લોચનનું જોડલું લોચનનું નીતરતી આંખોમાંથી કરુણાની ધારા, છલકાય ત્યારે મારા હૃદયના ક્યારા... જ્યારે જ્યારે જોઉ પેલા ચાંદલાનું માંડલું, ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું લોચનનુંo સંગમે જ્યારે કાળો કેર વરતાવ્યો, આંસુના બે છંદથી સમજાવ્યો. જ્યારે જ્યારે જોઉં પેલું તારલાનું આભલું, ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું લોચનનું ગોશાળાએ ગાળોની વર્ષા વરસાવી, સાગરશા પેટમાં સહુ તે સમાવી. જ્યારે જ્યારે આવે મને નિંદરમાં સોણલું,
ત્યારે વરતાયે વીરનાં લોચનનું જોડલું લોચનનું તે ભાવવિભોર બની ગઈ. દક્ષિણ દિશાની બારી પાસે ઊભી રહી ગુણશીલ ચૈત્ય તરફ બે હાથ જોડી, મસ્તક નમાવી “નમો મહાવીરાય
સુલાસા
૧૯
For Private And Personal Use Only