________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું કાંપિલ્યપુરમાં રહું છું. છતાં હું સર્વત્ર છું. મને કોઈ ક્ષેત્રનું બંધન નથી...મને આજ્ઞા આપ મારી બહેની,
સુલસાએ અંબડના ભવ્ય લલાટે કુમકુમનું તિલક કરી, અક્ષતથી તેને વધાવ્યો. તેનાં ઓવારણા લીધાં. ઉત્તમ કલ્પનીય વસ્ત્રો ભેટ આપ્યાં. ઉત્તમ રત્નકુંડલ આગ્રહ કરીને આપ્યાં.
વૈરાગી અંબડની આંખે પ્રેમનાં...નિર્મળ સ્નેહનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. બહેનના મસ્તકે બે હાથ મૂકી, વિશિષ્ટ શક્તિ સંક્રમિત કરી સુલતાનાં ચરણે નમીને આકાશમાર્ગે ચાલ્યો ગયો.
સુલસા, આકાશમાં જતા અંબડને જોઈ રહી. એની હિતકામના કરતી રહી ને મનોમન બોલી : “મારા ભાઈ! મારા ધર્મબંધુ! હું જરૂર મારા અનશન સમયે તમને યાદ કરીશ! મને લાગે છે કે તમે મને અંતિમ સમાધિના દાતા બનશો! તમારું કુશળ હો...”
સુલતા
૨૩૭
For Private And Personal Use Only