________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનુભાવો, જે જીવો જિનધર્મ પામ્યા નથી, જેમણે તીર્થકર પરમાત્માનાં દર્શન કર્યા નથી, એમની અમૃતમયી દેશના સાંભળી નથી, એવા લોકોને એમના જ આત્મકલ્યાણ માટે, આત્મહિત માટે જિનધર્મ તરફ યથાર્થ રીતે આકર્ષવાના ઉપાયો કરવા જોઈએ. સમુચિત ઉપાયો કરવા જોઈએ અને એ કામ આઠ પ્રકારના મહાન ગીતાર્થ મુનિરાજો કરી શકે છે. એમના માર્ગદર્શન મુજબ શ્રદ્ધાવાન શ્રાવકો કરી શકે છે. એનો શ્રેષ્ઠ ઉપાય છે દાન! ઉદારતાથી તમે દાન આપો! પ્રભુ વીરની જય બોલીને દાન આપો! દવા આપો..અન્ન આપો, વસ્ત્ર આપો, સ્નેહ આપો, આશ્વાસન આપો...એમનાં એવાં ઉચિત કાર્યો કરી આપો કે જેથી તેઓ જિનધર્મ પ્રત્યે અહોભાવથી જુએ! અરિહંતને નમે, વંદે ને સ્તવે.” સુલતાની વાતો શ્રેષ્ઠીઓને ગમી ગઈ! આ તીર્થકર ખરેખર નથી! કોઈ ઇન્દ્રજાલિકે કોઈ પ્રયોજનથી સમવસરણ રચ્યું છે અને એમાં તીર્થકર બનીને બેઠો છે! ભગવાન મહાવીરનું જ અનુકરણ કર્યું છે!' શ્રેષ્ઠીઓ સુલસાના શ્રદ્ધાભાવની ખૂબ ખૂબ પ્રસંશા કરી ચાલ્યા ગયા...
વૈભારગિરિ ઉપર સમવસરણમાં બેઠેલા પચ્ચીસમા તીર્થંકર સુલતાને શોધી રહ્યા છે! “સુલસા નથી આવી...” એ નિર્ણય થઈ જતાં એ જાદુગર મનોમન રાજીનો રેડ થઈ ગયો! “ધન્ય સુલતા! ધન્ય મહાસતી! તું તારા ધર્મની બનાવટમાં પણ ભોળવાણી નહીં! તું ધીમંત છે! તું શ્રદ્ધાત છે! તું મહા બલવંત છે!' તેણે માયા સંકેલી લીધી. પહાડ હવે પહાડરૂપે હતો!
અંબડ પરિવ્રાજકના રાજગૃહીમાં ચાર દિવસ પસાર થઈ ગયા હતા. પાંચમો દિવસ ઊગ્યો, કૌતુકભરી રાત્રિ હમણાં આથમી ગઈ હતી. દિવાકર મૂરઝાયેલાં કમળોને પોતાના મૃદુ પ્રકાશથી પ્રફુલ્લિત કરી રહ્યો હતો. અસૂર્યપશ્યા કુમુદિની સુર્યપુરુષને નિહાળી, અંતઃપુરની કોઈ રમણીની જેમ લજ્જાવંત બની મુખ ઢાળી ગઈ હતી.
મગધની રાજધાનીમાં વસનારા ખરેખર બડભાગી હતા! નિત્ય નવો સૂર્ય ઊગે અને કંઈક અનેરા ઉત્સવની વધામણી હોય જ! આજે એ ઉત્સવોની પૂર્ણાહુતિ હતી. શ્રમણ ભગવાન મહાવીરનો સંદેશવાહક અંબડ પરિવ્રાજક
૨૨૨
સુલાસા
For Private And Personal Use Only