________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.આ
છે
રાજગૃહી નગરીની ઉત્તર દિશામાં ગગનચુંબી ભવ્ય વૈભારગિરિ ઊભો છે. જાણે આકાશ અને પૃથ્વીને માપવા માટે મોટો માપદંડ હોય તેવો શોભે છે. આ પહાડ વિવિધ ઔષધિઓનો ભંડાર છે. એ ઔષધિઓ રાત્રિદીપકની જેમ પ્રકાશ આપનારી છે અને સ્થિર તેજવાળી છે. જે પ્રકાશમાં મનુષ્ય શાસ્ત્રવાચન કરી શકે!
આ વૈભારગિરિની ગુફાઓમાં સિંહોના નિવાસ હતા. પહાડ પરનાં મેદાનોમાં હાથીઓનાં વૃંદ જોવા મળતાં હતાં. આ પહાડ ઉપર વિપુલ પ્રમાણમાં તાલવૃક્ષો હતાં. એ તાલવૃક્ષોનાં પત્રોમાંથી વસ્ત્રો બનતાં હતાં. એ વસ્ત્રો બન્યા પછી જે પત્રો વધતાં તેના ઉપર શાહીથી મુનિઓ અને લહિયાઓ શાસ્ત્રો લખતા હતા.
આજે આ વૈભારગિરિ પર ભવ્ય રમણીય સમવસરણ મંડાયું છે. ચારેય ધારો, ત્રણય ગઢ, ગઢ પર સુંદર કાંગરાઓ...અશોક વૃક્ષ...! આઠય પ્રતિહાર્યથી શોભતા ચતુર્મુખ તીર્થકર મધુર દેશના આપી રહ્યા હતા! જાણે વસંત ખીલી હતી. એક યોજનાનો પહાડવિસ્તાર જનપદોથી ભરાઈ ગયો હતો. લોકો જાણે વસંતોત્સવ માણી રહ્યા હતા!
તીર્થકર ભગવાન પધાર્યા હતા. સિદ્ધિઓના નિધાન! ભૂત-ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા! અપૂર્વ રૂપ! અદ્ભુત પ્રભાવ! બ્રહ્મા-
વિષ્ણુ અને મહેશ કરતાં ય વિશેષ આકર્ષણ! શરીર પર એકેય વસ્ત્ર નહીં અને પાસે પત્ની નહીં! કોઈ શસ્ત્ર નહીં કે કોઈ વાજિંત્ર નહીં! બધું જ દિવ્ય
આમ તો રાજગૃહીના પ્રજાજનો માટે સમવસરણ નવું ન હતું. અનેકવાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં પધારેલા હતા અને ત્યાં દેવો સમવસરણ રચતા હતા. લોકોએ સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ સાંભળેલો હતો. એક વાર નહીં, અનેકવાર!
લોકો હોંશે હોંશે બોલે છે : રાજગૃહીના ભાગ્ય મહાન છે! દુનિયાની શ્રેષ્ઠ વિભૂતિઓ રાજગૃહીને પાવન કરી રહી છે.
૨૨૨૦
સુલસા
For Private And Personal Use Only