________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કહેવી છે...તમે શાન્તિથી પછી મારી વાત પર વિચાર કરજો.
તમે જે દેવ આવે તેની પાસે જાઓ છો. ભલે ભક્તિથી નહીં, તો કુતૂહલથી જાઓ છો. જુઓ છો અને સાંભળો છો. દરેક દેવ પોતપોતાનું ગાણું ગાય છે. કોની વાત સાચી ને કોની વાત ખોટી - તમે દ્વિધામાં પડી જાઓ. પછી ક્યારેક કંટાળો આવી જાય. દેવ તરફ, ધર્મ તરફ...ગુરુ તરફ અરુચિ થઈ જાય. માટે દરેકને ન સાંભળો, હા, તમારી બુદ્ધિ પરિપક્વ હોય, તમારું જ્ઞાન વિશદ હોય, સાચું-ખોટું પારખવાની વેધક દૃષ્ટિ હોય તો તમે ભલે બધાનું સાંભળો! નહિતર શાન્તિથી ઘરે બેસી પ્રભુ નામનું સ્મરણ કરો.
વિશેષમાં, રાજગૃહી તો પુણ્ય ધરા છે. અહીં ભગવાન મહાવીર કેટલો દીર્ઘ સમય રહ્યા છે? અવારનવાર વર્ષાવાસ કર્યા છે. રોજ ધર્મની દેશના આપી છે. લોકોના મનની શંકાઓ દૂર કરી છે. એકએક તત્ત્વને સુપેરે સમજાવ્યું છે! શું નથી સમજાવ્યું પ્રભુએ? હું તો એક માત્ર મારા પ્રભુને વરી છું
મારો તમારો પ્રેમ થયો છે નિભાવશો તો ખરા ને? કારણ -- હું રાગી, તમે વીતરાગી છો. દુનિયા આ પ્રેમની હાંસી તો નહીં કરે? મારો તમારો પ્રેમ થયો છે બોલાવશો તો ખરા ને? ભલે તમે વીતરાગી, કશું ભલે તમે ન આપો, મને જરાય દુઃખ નથી, માત્ર મારાં બંધન કાપો. મારો તમારો પ્રેમ થયો છે. પાસે બેસાડશો તો ખરા ને? પ્રભુ! તમારો સ્વભાવ હું જાણું છું.... પ્રેમીનાં તમે દુઃખ હરો છો, એ હું પ્રમાણું છું. મારો તમારો પ્રેમ થયો છે
મને પંપાળશો તો ખરા ને? સખીઓના મનનું સમાધાન થયું. તેઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ. ત્યાં મેદાનમાં બિરાજેલા શંકર ભગવાન ભક્તોની ભીડમાં. સુલતાને શોધે
૨૧૮
સુલતા
For Private And Personal Use Only